મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન
Breaking news
Morbi Today

રાજકોટની જેમ મોરબીના લાતી પ્લોટમાં ખુલ્લી ગટર નિર્દોષ વ્યક્તિનો ભોગ લે તેની જોવાતી રાહ !


SHARE











રાજકોટની જેમ મોરબીના લાતી પ્લોટમાં ખુલ્લી ગટર નિર્દોષ વ્યક્તિનો ભોગ લે તેની જોવાતી રાહ !

મોરબી પાલિકા દ્વારા મોરબીમાં સૌથી વધુ ટેક્સ મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાંથી લેવામાં આવે છે તો પણ ત્યાં કોઈ સુવિધા આપવામાં આવી રહી નથી જેથી કરીને ધીમેધીમે ત્યાં કારખાના બંધ થવા લાગયા છે અને નાના લોકોની રોજગારી છીનવાઇ રહી છે તે હક્કિત છે તાજેતરમાં જ રાજકોટમાં ખાડાના લીધે નિર્દોષ વાહન ચાલકનો ભોગ લેવાયેલ છે ત્યારે મોરબીના લાતી પ્લોટને લઈને સવાલો ઊઠે તે સ્વાભાવિક છે કેમ કે, વધુ ટેક્સ ચૂકવતા લાતી પ્લોટની હાલત આજની તારીખે અતિ દયનીય છે આજે વગર ચોમાસે પણ ઉભરાતી ગટરના પાણી રોડ પર ફરી વળ્યા છે જેથી કરીને રાહદારીઓ અને વેપારીઓને લાતી પ્લોટ વિસ્તારમાંથી પસાર થવું કપરું બની ગયેલ છે આટલું ઓછું હોય તેમ મોરબીના લાતી પ્લોટમાં અંદરની શેરીઓમાં તેમજ મુખી માર્ગ ઉપર ઘ જગ્યાએ ગટરના ઢાંકણા જ નથી જેથી કરીને ગટર ખુલ્લી પડી છે તેમ રાજકોટની જેમ કોઈ નિર્દોષ વાહન ચાલક કે પછી રાહદારી વ્યક્તિ પડી જશે અને તેનો ભોગ લેવાશે તો શું રાજકોટની જેમ મોરબી પાલિકાના બેદરકાર અધિકારી અને કર્મચારીઓની સામે ગુનો નોંધાવવામાં આવશે ખરો તે સૌથી મોટો સવાલ છે






Latest News