ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા મોરબી: રાજયની દરેક એસ.ટી.વિભાગીય કચેરીએથી ડ્રાઇવર-કંડકટરોની ભરતી પ્રક્રિયા કરવા માંગ માળીયા (મી)ના વીર વિદરકા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીના રેલ્વે સ્ટેશન સુધી લાંબા અંતરની ટ્રેન નિયમિત ટ્રેન માટે સતત લડવું અનિવાર્ય


SHARE











મોરબીના રેલ્વે સ્ટેશન સુધી લાંબા અંતરની ટ્રેન નિયમિત ટ્રેન માટે સતત લડવું અનિવાર્ય

મોરબી રેલ્વે સ્ટેશને અઠવાડિક બે લાંબા અંતરની ટ્રેન (ભૂજ થી બાંદ્રા અને કામખ્યા જતી ૧-૧)આખા દિવસની ૮ ડેમુ જેમાંથી હાલ ૩ જાવક ૩ આવક (મોરબી-વાંકાનેર-મોરબી) એ પણ સૌરાષ્ટ્ર મેલને અનુકુળ નહી તે રીતે ચાલે છે પણ સ્ટેશન જૂઓ તો જમાવટ પાડી દે તેવું છે અને જનાવર પણ લઘુ શંકા કરવા આવતા વિચારે ત્યાં સ્કૂટર અને કાર પાર્કિંગએ પણ પેઈડ ! ની વ્યવસ્થા કરવામાં આવી છે આટલું જ નહીં પરંતુ  રિઝર્વેશન બુકિંગ માટે માત્ર ૧ બારી ચાલુ છે જેથી કરીને તહેવારોના દિવસમાં મુસાફરોને ઘણું હેરાન થવું પડે છે

મોરબીની આસપાસમાં વિશ્વ કક્ષાનો સિરામિક ઉદ્યોગ આવેલ છે તો પણ ઉદ્યોગકારોને આજની તારીખે તેને છેલ્લે કયારે ટ્રેનમા મુસાફરી કરી હતી તે યાદ કરવું પડે છે ! જો કે, દેશભરમાંથી વ્યાપારીઓ અને શ્રમિકો અમદાવાદ કે રાજકોટ ફ્લાઈટમા ન આવી શકે તેના માટે મોરબીના રેલ્વે સ્ટેશન સુધી ટ્રેન દોડાવવામાં આવે તે જરૂરી છે અત્રે ઉલેખનીય છે કે, ભૂતકાળમા મોરબી ચેમ્બર ઓફ કોમર્સ અને બે ત્રણ સમાજ સેવા કરતા લોકો મહેનત કરીને સાંસદ અને રેલ્વે મંત્રાલય પત્રો લખવામાં આવ્યા હતા તો પણ સુવિધામાં કોઈ વધારો થયેલ નથી જેથી કરીને અહીના મુસાફરોને વાંકાનેર કે રાજકોટ સુધી બસમા કે ખાનગી વાહનમા રાજકોટ જઈ ટ્રેન પકડવી પડે છે આટલું જ નહીં મોરબીના રાજપર રોડ ઉપર સ્ટેટના વખતમાં એરપોર્ટ હતું તેને નવું બનાવવા માટે છેલ્લા ઘણા સમયથી વાતો કરવામાં આવી રહી છે જેનું કામ હજુ સુધી દીવાલથી આગળ વધ્યું નથી ત્યારે આ એરપોર્ટ શરૂ કયારે થશે તે સૌથી મોટો સવાલ છે ત્યારે અહીના આગેવાનો, નેતા અને સ્થાનિક લોકોને સમયસર જાગવું પડશે અને સતત સરકારમાં માંગણી કરતાં રહેવું પડશે અને ખાસ કરીને લાગતા વળગતાને રજૂઆતો કરવી પડશે તો જ મોરબીને લાંબા અંતરની ટ્રેન મળે તેવી શક્યતા છે






Latest News