તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

મોરબીમાં રમતા રમતા પાણીની ટાંકીમાં પડી ગયેલ દોઢવર્ષના બાળકનું સારવાર દરમિયાન મોત


SHARE











મોરબીમાં રમતા રમતા પાણીની ટાંકીમાં પડી ગયેલ દોઢવર્ષના બાળકનું સારવાર દરમિયાન મોત

મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ પ્લાસ્ટિકના કારખાનામાં થોડા દિવસો પહેલા રમતા રમતા એક બાળક પાણીની કુંડીમાં પડી ગયુ હતુ જેથી તેને મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ ખસેડવામાં આવ્યું હતું અને રાજકોટ સિવિલ ખાતે એકાદ સપ્તાહ સારવારમાં રહ્યા બાદ બાળકનું સારવાર દરમિયાન મોત નિપજયુ હોવાનું પોલીસ સુત્રો દ્રારા જાણવા મળેલ છે.

મોરબીના વાંકાનેર હાઇવે લખધીરપુર રોડ ઉપર કેનાલ પાસે આવેલ ગુજરાત પ્લાસ્ટિક નામના યુનિટમાં ગત તા.૨૯-૧૨ ના રોજ રમતા રમતા પાણીની ટાંકીમાં પડી જતા રાજકુમાર મદનભાઈ રાજપુત નામના દોઢ વર્ષના બાળકને અહિંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જે અંગે વધુમાં તાલુકા પોલીસ મથકના સૂત્રો દ્વારા જણાવવામાં આવેલ છે કે સારવાર દરમ્યાન રાજકોટ સિવિલ ખાતે રાજકુમાર મદનભાઇ નામના દોઢ વર્ષીય બાળકનું મોત નિપજયુ છે.જેથી હાલ તાલુકા પોલીસ મથકના જે.એમ.જાડેજા દ્વારા તે અંગે નોંધ કરીને બનાવની આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.

વૃદ્ધા સારવારમાં

મોરબીના કંડલા બાયપાસ કામધેનુ પાર્ટી પ્લોટ સામે આવેલ કશ્યપ એપાર્ટમેન્ટમાં રહેતા હંસાબેન લક્ષ્મણભાઈ અમૃતિયા નામના ૫૦ વર્ષીય આધેડ મહિલા ગોકુલ-મથુરા સોસાયટી ઉમિયા સર્કલ પાસે રોડ ઉપરથી બાઈકમાં બેસીને જતા હતા તે સમયે તેઓ બાઇકમાંથી નીચે પડી જતા તેઓને ઇજાઓ પહોંચી હતી જેથી કરીને હંસાબેન અમૃતિયાને અહીંની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા હાલમાં બનાવની જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા દ્વારા બનાવની નોંધ કરી આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.
 






Latest News