મોરબીમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ભવ્યાતી ભવ્ય ઉજવણી વાંકાનેર બાઉન્ડ્રી પાસે બાવળની જાળીમાં રૂપિયા માટે મિત્રની હત્યા કરનારા આરોપીને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા મોરબીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિના લીધે જિલ્લા કોંગ્રેસના મહામંત્રીને હોદા ઉપરથી સસ્પેન્ડ કરતાં જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ સામે સોશ્યલ મીડિયામાં વોર શરૂ ! તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર
Breaking news
Morbi Today

મોરબી : ખરીદી કરવા બજારમાં પતિ સાથે ન લઈ જતા ચાર દિવસથી ગુમ થયેલ મહિલાનો મૃતદેહ મળ્યો


SHARE











મોરબી : ખરીદી કરવા બજારમાં પતિ સાથે ન લઈ જતા ચાર દિવસથી ગુમ થયેલ મહિલાનો મૃતદેહ મળ્યો

મોરબી તાલુકાના કૃષ્ણનગર (કોયલી) ગામે રહેતા અને મૂળ મધ્યપ્રદેશના વતની મહિલા છેલ્લા ચાર દિવસથી ગુમ હતા દરમ્યાનમાં તેનો મૃતદેહ મળી આવ્યો હતો અને પોલીસ તપાસમાં ખુલ્યું હતું કે મૃતક પરણીતાનો પતિ ખરીદી કરવા માટે બજારમાં જતો હોય અને પરણીતાને સાથે જવું હતુ પરંતુ પતિએ તેણીને સાથે લઈ જવાની ના પાડી હતી જેથી છેલ્લા ચાર દિવસથી પરણીતા ગુમ હતી અને દરમિયાનમાં તેણીનો મૃતદે મળ્યો છે.

મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ હાલ મોરબીના કૃષ્ણનગર (કોયલી) ગામે રવજીભાઈ ભીમજીભાઇ ભીમાણીની વાડીએ રહેતા અને મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના જોબટ તાલુકામાં આવેલ બામણીયા ફળિયું ઉંડારી ગામના વતની સેલુબેન વેસુભાઈ પાતુભાઈ માવદા નામની ૨૫ વર્ષની આદિવાસી મહિલાનો કૃષ્ણનગર ગામેથી મૃતદેહ મળી આવ્યો હતો અને બનાવની જાણ થતા તાલુકા પોલીસ મથકના બીટ વિસ્તારના જમાદાર મહેશભાઈ કહાંગરા દ્વારા આ અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં ખુલ્યુ હતું કે મૃતક સેલુબેન વેસુભાઈ માવદા છેલ્લા ચાર દિવસથી ગુમ હતા અને દરમિયાનમાં તેમનો મૃતદેહ મળી આવ્યો છે.પોલીસે મૃતકના પતિ સહિતનાઓના નિવેદન નોંધતા તપાસમાં ખુલ્યુ હતું કે ચાર દિવસ પહેલા પતિ વેસુભાઇ ખરીદી કરવા માટે બજારમાં લતીપર બાજુ જતા હતા ત્યારે સેલુબેને પણ સાથે જવા માટે જીદ કરી હતી પરંતુ પતિએ તેઓને સાથે બજારમાં લઈ જવાની ના પાડી હતી જેથી કરીને લાગી આવતા સેલુબેન ચાર દિવસ પહેલા ઘરેથી નીકળી ગયા હતા અને ચાર દિવસથી ગુમ હતા દરમ્યાનમાં તેઓનો મૃતદેહ મળી આવ્યો છે. શરીર ઉપર જો કે ઈજાના કોઈ નિશાન નહોતા મળ્યા પરંતુ કોઈ ઝેરી પદાર્થ પીધો હોય અને તેઓનું મોત થયુ હોય તેવા પ્રાથમિક અનુમાન સાથે હાલ તેમના મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડવામાં આવ્યો છે મૃતક સેલુબેન માવદાનો લગ્નગાળો આઠ વર્ષનો હતો અને તેમને સંતાનમાં એક બાળક છે.હાલ તાલુકા પોલીસ આ અંગે આગળ તપાસ ચલાવી રહી છે.

વાહન અકસ્માત સર્જી નેપાળીનું મોત નિપજાવનાર પકડાયો

મોરબીના લીલાપર ચોકડી પાસે ડબલ સવારીમાં બાઇકમાં જતા નેપાળીના બાઈકને ડમ્પર ચાલકે હડફેટો લીધું હતું જે બનાવમાં ગંગારામભાઈ નામના નેપાળી આધેડનું મોત નિપજયુ હતું.જે અંગે તાલુકા પોલીસ મથક ખાતે ગુનો નોંધાયો હતો.તે બનાવમાં હાલમાં તપાસ દરમિયાન તાલુકા પીએસઆઇ બી.એમ.બગડા અને રાઇટર વાસુદેવભાઈ દ્વારા અકસ્માત સર્જીને નેપાળીનું મોત નીપજાવનાર ડમ્પરના ચાલક પુનાભાઈ શીવાભાઈ દારોદરા જાતે કોળી (ઉમર ૫૫) રહે.નવાગામ તાલુકો જીલ્લો મોરબીની ધરપકડ કરવામાં આવી હતી.






Latest News