મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીની શ્રધ્ધા સોસાયટીમાં મકાન ઉપર કબ્જો કરનાર બે શખ્સો સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ


SHARE













મોરબીની શ્રધ્ધા સોસાયટીમાં મકાન ઉપર કબ્જો કરનાર બે શખ્સો સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ

રાજકોટના યુવાનનું શ્રધ્ધા સોસાયટીમાં પ્લોટ નંબર- ૨૧ ઉપર મકાન આવેલ છે જેના ઉપર બે શખ્સો દ્વારા વર્ષ ૨૦૧૭ થી કબ્જો કરી લેવામાં આવેલ છે જેથી યુવાને ફરિયાદ નોંધાવતાં પોલીસે હાલમાં લેન્ડ ગ્રેબિંગ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરલે છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ રાજકોટ વેલનાથ ચોક ગોવીંદનગર શેરી નંબર-૧ સોરઠીયા પ્રજાપતીની વાડી પાસે રહેતા રમેશભાઇ બીજલભાઇ મકવાણા જાતે આહીર (ઉ.૪૨)એ હાલમાં નરેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ રાણા અને જયપાલસિંહ મહેન્દ્રસિંહ રાણા રહે. બન્ને મોટા રામપર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને લખાવ્યું છે કે, જુલાઇ ૨૦૧૭ થી આજ દિન સુધી મોરબી તાલુકાના અમરેલી ગામના સર્વે નંબર-૧૪૧ ની શ્રધ્ધા સોસાયટીમાં પ્લોટ નંબર- ૨૧ ઉપર આરોપીઓએ ફરીયાદીની માલીકીનુ રહેણાંક હેતુ માટે મકાન આવેલ છે જેના ઉપર કબ્જો કરી લીધેલ છે અને તેનો વપરાશ કરી જમીન પચાવી પાડી છે જેથી કરીને યુવાનની ફરિયાદ લઈને પોલીસે ગુજરાત જમીન પચાવી પાડવા પર(પ્રતિબંધ) કાયદો ૨૦૨૦ ની કલમ ૪(૧) (૩), ૫(ગ) મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News