મોરબીમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ભવ્યાતી ભવ્ય ઉજવણી વાંકાનેર બાઉન્ડ્રી પાસે બાવળની જાળીમાં રૂપિયા માટે મિત્રની હત્યા કરનારા આરોપીને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા મોરબીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિના લીધે જિલ્લા કોંગ્રેસના મહામંત્રીને હોદા ઉપરથી સસ્પેન્ડ કરતાં જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ સામે સોશ્યલ મીડિયામાં વોર શરૂ ! તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર
Breaking news
Morbi Today

મોરબીના વાવડી રોડે જમવા બાબતે પત્ની સાથે બોલાચાલી બાદ આવ્યું માઠું પરિણામ


SHARE











મોરબીના વાવડી રોડે જમવા બાબતે પત્ની સાથે બોલાચાલી બાદ આવ્યું માઠું પરિણામ

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ મારુતિ પાર્ક વિસ્તારમાં રહેતા બારોટ યુવાનને તેના પત્ની સાથે જમવા બાબતે બોલાચાલી થઈ હતી જેથી કરીને યુવાને બંને મોબાઈલ લઈને પત્નીને નીચેના માળે બહારથી આગળીયો મારી પુરી દઇને ઉપરના માળે જઈને સ્વેટર વડે ફાંસો ખાઈને પોતાના જીવનનો અંત આણ્યો હતો.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના વાવડી રોડ ઉપર આવેલ મારુતિ પાર્ક વિસ્તારમાં રહેતા આકાશ હસમુખભાઈ આંજાણકા જાતે બારોટ નામના ૨૮ વર્ષના યુવાને તેના ઘેર સ્વેટર વડે ગળેફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેનું મોત નીપજ્યું હતું અને બનાવ સંદર્ભે બાદમાં વહેલી સવારે જાણ થતા પોલીસે સ્થળ ઉપર જઈને આગળની તજવીજ હાથ ધરી હતી.જેમાં ખુલ્યું હતું કે મૃતક આકાશભાઈને તેમના પત્ની મનીષાબેનની સાથે જમવા બાબતે બોલાચાલી થઈ હતી જેથી ગુસ્સામાં આવીને આકાશભાઈ બારોટે તેમનો તથા તેમની પત્નીનો મોબાઇલ લઈ લઇને તેમની પત્નિ તથા તેમના સંતાનને નીચેના માળે રૂમમાં બંધ કરી બહારથી આગળીયો મારી તેઓ ઉપરના માળે ગયા હતા અને ત્યાં સ્વેટર વડે ગળેફાંસો ખાઈ લેતા તેઓનું મોત નીપજ્યું હતું હાલ બનાવની નોંધ તથા એ ડિવિઝન પોલીસ દ્વારા આ અંગે આગળની તજવીજ ચલાવવામાં આવી રહી છે.

પાવળીયારી પાસે ફાંસો ખાઈ જતા પરણીતા સારવારમાં

મોરબીના જેતપર રોડ ઉપર જસમતગઢ ગામની સીમમાં પાવળીયારી નજીક આવેલ ટોરેસ સિરામિકના લેબર કવાટરમાં રહીને ત્યાં જ મજૂરી કામ કરતી રવિનાબેન આકાશભાઈ મોરે નામની ૨૦ વર્ષીય પરિણીતાએ તેના ક્વાટરમાં સળીયા સાથે દુપટ્ટો બાંધીને ગળેફાંસો ખાધો હતો જોકે તેના પતિનું ધ્યાન જતા પતિ અશોક કુદરાભાઈ મોરેએ તેણીને સારવાર માટે શહેરના સામાકાંઠે સમર્પણ હોસ્પિટલે ખસેડયા હતા અને હાલ પરણીતા રવિનાબેન બેભાન હાલતમાં હોવાનું જાણવા મળેલ છે તેણીનો લગ્નગાળો એક વર્ષનો હોવાનું અને સંતાન ન હોવાનું હાલ પીએસઆઇ એસ.એમ.સગારકા દ્વારા જણાવવામાં આવ્યું છે. પરિણિતાનો લગ્નગાળો એક જ વર્ષનો હોય હાલ ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ તાલુકા પીએસઆઇ એસ.એમ.સગારકા તપાસ ચલાવી રહ્યા છે.જોકે હાલ પરિણિતા બેભાન હાલતમાં હોય તેણીના ભાનમાં આવ્યા બાદ જ બનાવના કારણ અંગે આગળની તપાસ કરાશે તેમ મળેલ છે.






Latest News