મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં મેયર સારો કે મારો તે પ્રશ્નાર્થ: મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર માટે ચાલતી ખેંચતાણમાં છેલ્લી ઘડીએ પેનલના નામ ઉપર નીચે કરાતા હોબાળો રાજકોટની જેલમાંથી પેરોલ ઉપર મુક્ત થયેલ કેદી નાસી જતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો મોરબીમાં સર્કિટ હાઉસ નજીક દેશી દારૂના હાટડા ઉપર સ્થાનિક લોકોની જનતા રેડ, પોલીસની કામગીરી સામે સવાલ વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો
Breaking news
Morbi Today

હળવદના અજીતગઢ ગામ પાસે કેનાલમાં નાહવા માટે પડેલ સગીરાનું પાણીમાં ડૂબી જવાથી મોત


SHARE











હળવદના અજીતગઢ ગામ પાસે કેનાલમાં નાહવા માટે પડેલ સગીરાનું પાણીમાં ડૂબી જવાથી મોત

હળવદ તાલુકાના અજીતગઢ ગામ પાસેથી પસાર થતી નર્મદાની કેનાલમાં નાહવા માટે સગીરા પડી હતી ત્યારે તે કોઈ કારણોસર પાણીમાં ડૂબી ગઈ હતી જેથી કરીને પાણીમાં ડૂબી જવાના કારણે સગીરાનું મોત નિપજ્યુ હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ છોટા ઉદેપુર જિલ્લાના રહેવાસી અને હાલમાં હળવદ તાલુકાના અજીતગઢ ગામે જયંતીભાઈ પટેલની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા ગુમાનભાઈ ધાણક જાતે આદિવાસીની ૧૬ વર્ષની દીકરી ઉઘલીબેન અજીતગઢ ગામ પાસેથી પસાર થતી નર્મદાની કેનાલમાં નાહવા માટે પડી હતી ત્યારે નર્મદાના પાણીમાં ડૂબી જવાના કારણે તે સગીરાનુ ઘટના સ્થળે મોત નિપજયુ હતુ ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

એક બોટલ દારૂ

વાંકાનેર તાલુકાના લિંબાળા ધાર પાસેથી પસાર થતા શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હોય પોલીસે ૩૦૦ ની કિંમતની દારૂની બોટલ સાથે શૈલેષભાઈ ડાયાભાઈ સાગઠીયા (૩૪) રહે ચોટીલા વાળા ની ધરપકડ કરેલ છે.

વરલી જુગાર

વાંકાનેરના મિલ પ્લોટ ચોક પાસે વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે રોહિતભાઈ લાલજીભાઈ ફીરસોડિયા જાતે કોળી (ઉંમર વર્ષ ૪૩) રહે મિલ પ્લોટ ફાટક પાસે વાંકાનેર વાળો વરલી જુગાર આંકડા લેતા મળી આવ્યો હોય પોલીસે તેની પાસેથી ૬૩૦ રૂપિયાની રોકડ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.






Latest News