વાંકાનેર બાઉન્ડ્રી પાસે બાવળની જાળીમાં રૂપિયા માટે મિત્રની હત્યા કરનારા આરોપીને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા મોરબીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિના લીધે જિલ્લા કોંગ્રેસના મહામંત્રીને હોદા ઉપરથી સસ્પેન્ડ કરતાં જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ સામે સોશ્યલ મીડિયામાં વોર શરૂ ! તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ
Breaking news
Morbi Today

આરએસએસના સરસંઘ ચાલક મોહન ભાગવત આજે મોરબીમાં


SHARE











આરએસએસના સરસંઘ ચાલક મોહન ભાગવત આજે મોરબીમાં

આરએસએસના સરસંઘ ચાલક મોહન ભાગવત આજે કચ્છના અંજારથી પરત જવાના છે અને તેઓ કચ્છથી રાજકોટ એરપોર્ટ તરફ બાયરોડ જવાના છે ત્યારે મોરબીના શનાળા રોડ ઉપર રહેતા પશ્ચિમ ક્ષેત્રના સંઘ ચાલક ડો. જયંતીભાઈ ભાડેશિયાના ઘરે ટુકું રોકાણ કરવાના છે જેથી કરીને તેઓના રૂટ ઉપર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે

કચ્છ સૌરાષ્ટ્ર ઝોનની સંઘની ત્રણ દિવસની બેઠકનું આયોજન અંજાર ખાતે કરવામાં આવ્યું હતું જેમાં આરએસએસના સરસંઘ ચાલક મોહન ભાગવત હાજર રહ્યા હતા અને આ બેઠકમાં કચ્છ અને સૌરાષ્ટ્રના ૩૫૦ જેટલાં પદાધિકારીઓ હાજર રહ્યા હતા અને ત્રણ દિવસની આ બેઠકમાં અનેક મુદ્દાઓ ઉપર ચર્ચાઓ કરવામાં આવી હતી જેમાં ખાસ કરીને આરએસએસના સરસંઘ ચાલક મોહન ભાગવતે આગામી સમયમાં સૌરાષ્ટ્ર-કચ્છના દરેક ગામમાં ઓછામાં ઓછી એક શાખા કાર્યરત થાય તે જોવા માટે પદાધિકારીઓને કહ્યું હતું અને આગામી વર્ષ ૨૦૨૫ માં સંઘ તેની શતાબ્દી ઉજવી રહ્યું છે તેની પણ ચર્ચા કરવામાં આવી હતી જો કે, આ બેઠક પૂરી કરીને આજે આરએસએસના સરસંઘ ચાલક મોહન ભાગવત પરત જવા માટે અંજારથી બાયરોડ રાજકોટ તરફ જવાના છે ત્યારે તેઓ મોરબીના શનાળા રોડ ઉપર રહેતા પશ્ચિમ ક્ષેત્રના સંઘ ચાલક ડો.જયંતિભાઈ ભાડેશિયાના ઘરે બપોરે સાડા અગિયારથી બાર વાગ્યાના આરસમાં આવે તેવી શક્યતા છે અને ત્યાં ટૂંકું રોકાણ કરવાના છે અને ત્યારે તે માત્ર ડો.જયંતિભાઈ ભાડેશિયાના પરિવારને મળશે અને તેની સાથે ભોજન લેવાના છે અને ત્યાર બાદ તેઓ અહીથી રાજકોટ એરપોર્ટ જવા માટે રવાના થશે






Latest News