મોરબી: રવાપર તાલુકા શાળાના ધો.8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમરોહ યોજાયો વાંકાનેરના સમથેરવા ગામની સીમ હત્યા કરાયેલ યુવાનના વાલી-વારસની શોધખોળ ચાલુ મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ: 511 ફોર્મ ઉપાડ્યા, હજુ ભરાયા માત્ર 75, ભાજપના સત્તાવાર ઉમેવદારો જાહેર ન કરાતા અવઢવ મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત
Breaking news
Morbi Today

મોરબીના અમરાપર ગામની વિદ્યાર્થિનીએ જવાહર નવોદય વિદ્યાલયની પ્રવેશ પરીક્ષા પાસ કરી 


SHARE











મોરબીના અમરાપર ગામની વિદ્યાર્થિનીએ જવાહર નવોદય વિદ્યાલયની પ્રવેશ પરીક્ષા પાસ કરી 

જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ માટે પરીક્ષા લેવામાં આવતી હોય છે અને તે પરીક્ષામાં જે વિદ્યાર્થી પાસ થાય છે તેને જ ધો. ૬ માં પ્રવેશ આપવામાં આવે છે ત્યારે તાજેતરમાં આવેલ પ્રવેશ પરીક્ષામાં અમરાપર (ના.) પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની પાસ થયેલ છે જેથી તે દીકરીએ પરિવાર, ગામ અને શાળાનું નામ રોશન કર્યું છે

મોરબી તાલુકાનાં અમરાપર (ના.) પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની ડાંગર જીનલ નિલેશભાઈએ જવાહર નવોદય વિદ્યાલયની પ્રવેશ પરીક્ષા આપી હતી અને તેમાં તે પાસ થયેલ છે અત્રે ઉલેખનીય છે કે, જવાહર નવોદયની કપરી પરીક્ષા પાસ કરીને આ દીકરીએ તેના માતા-પિતા, ગામ અને અમરાપર (ના.) પ્રાથમિક શાળાનું ગૌરવ વધાર્યું છે જેથી કરીને શાળાના આચાર્ય અને વર્ગ શિક્ષક મિયાત્રા પરેશભાઈ સહિતના સ્ટાફે તેને અભિનંદન આપેલ છે આ વિદ્યાર્થીનીને હવે કેન્દ્ર સરકાર તરફથી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૬ થી ૧૨ સુધી ગુણવત્તાયુક્ત શિક્ષણ, પોષણયુક્ત આહાર તેમજ હોસ્ટેલની સુવિધા નિઃશુલ્ક આપવામાં આવશે






Latest News