વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી ૩૧ બોટલ દારૂ સાથે એક પકડાયો, એકની શોધખોળ
મોરબીના અમરાપર ગામની વિદ્યાર્થિનીએ જવાહર નવોદય વિદ્યાલયની પ્રવેશ પરીક્ષા પાસ કરી
SHARE
મોરબીના અમરાપર ગામની વિદ્યાર્થિનીએ જવાહર નવોદય વિદ્યાલયની પ્રવેશ પરીક્ષા પાસ કરી
જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ માટે પરીક્ષા લેવામાં આવતી હોય છે અને તે પરીક્ષામાં જે વિદ્યાર્થી પાસ થાય છે તેને જ ધો. ૬ માં પ્રવેશ આપવામાં આવે છે ત્યારે તાજેતરમાં આવેલ પ્રવેશ પરીક્ષામાં અમરાપર (ના.) પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની પાસ થયેલ છે જેથી તે દીકરીએ પરિવાર, ગામ અને શાળાનું નામ રોશન કર્યું છે
મોરબી તાલુકાનાં અમરાપર (ના.) પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની ડાંગર જીનલ નિલેશભાઈએ જવાહર નવોદય વિદ્યાલયની પ્રવેશ પરીક્ષા આપી હતી અને તેમાં તે પાસ થયેલ છે અત્રે ઉલેખનીય છે કે, જવાહર નવોદયની કપરી પરીક્ષા પાસ કરીને આ દીકરીએ તેના માતા-પિતા, ગામ અને અમરાપર (ના.) પ્રાથમિક શાળાનું ગૌરવ વધાર્યું છે જેથી કરીને શાળાના આચાર્ય અને વર્ગ શિક્ષક મિયાત્રા પરેશભાઈ સહિતના સ્ટાફે તેને અભિનંદન આપેલ છે આ વિદ્યાર્થીનીને હવે કેન્દ્ર સરકાર તરફથી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૬ થી ૧૨ સુધી ગુણવત્તાયુક્ત શિક્ષણ, પોષણયુક્ત આહાર તેમજ હોસ્ટેલની સુવિધા નિઃશુલ્ક આપવામાં આવશે