મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ માળીયા (મી)માં હત્યાના બનાવમાં મૃત્યુ પામેલ પિતાની યાદ આવતી હોય સગીરાએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી નજીક હવા ભરતા સમયે ટ્રકનું ટાયર ફાટતા ઈજા પામેલ યુવાનનું મોત મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 4 શખ્સ પકડાયા હળવદના જુના દેવળીયા ગામ પાસે નર્મદાની ધાંગધ્રા બ્રાન્ચ કેનાલના સાયફનમાં બાકોરનું પાડનાર અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધાયો મોરબી નજીક કારખાનામાં એર કમ્પ્રેસરથી શરીરમાં હવા ભરી દેતા યુવાન સારવારમાં મોરબીમાં તાજિયાના તહેવાર પહેલા પોલીસનું ફૂટ પેટ્રોલીંગ યોજાયું
Breaking news
Morbi Today

મોરબીના અમરાપર ગામની વિદ્યાર્થિનીએ જવાહર નવોદય વિદ્યાલયની પ્રવેશ પરીક્ષા પાસ કરી 


SHARE











મોરબીના અમરાપર ગામની વિદ્યાર્થિનીએ જવાહર નવોદય વિદ્યાલયની પ્રવેશ પરીક્ષા પાસ કરી 

જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ માટે પરીક્ષા લેવામાં આવતી હોય છે અને તે પરીક્ષામાં જે વિદ્યાર્થી પાસ થાય છે તેને જ ધો. ૬ માં પ્રવેશ આપવામાં આવે છે ત્યારે તાજેતરમાં આવેલ પ્રવેશ પરીક્ષામાં અમરાપર (ના.) પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની પાસ થયેલ છે જેથી તે દીકરીએ પરિવાર, ગામ અને શાળાનું નામ રોશન કર્યું છે

મોરબી તાલુકાનાં અમરાપર (ના.) પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની ડાંગર જીનલ નિલેશભાઈએ જવાહર નવોદય વિદ્યાલયની પ્રવેશ પરીક્ષા આપી હતી અને તેમાં તે પાસ થયેલ છે અત્રે ઉલેખનીય છે કે, જવાહર નવોદયની કપરી પરીક્ષા પાસ કરીને આ દીકરીએ તેના માતા-પિતા, ગામ અને અમરાપર (ના.) પ્રાથમિક શાળાનું ગૌરવ વધાર્યું છે જેથી કરીને શાળાના આચાર્ય અને વર્ગ શિક્ષક મિયાત્રા પરેશભાઈ સહિતના સ્ટાફે તેને અભિનંદન આપેલ છે આ વિદ્યાર્થીનીને હવે કેન્દ્ર સરકાર તરફથી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૬ થી ૧૨ સુધી ગુણવત્તાયુક્ત શિક્ષણ, પોષણયુક્ત આહાર તેમજ હોસ્ટેલની સુવિધા નિઃશુલ્ક આપવામાં આવશે






Latest News