મોરબી: રવાપર તાલુકા શાળાના ધો.8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમરોહ યોજાયો વાંકાનેરના સમથેરવા ગામની સીમ હત્યા કરાયેલ યુવાનના વાલી-વારસની શોધખોળ ચાલુ મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ: 511 ફોર્મ ઉપાડ્યા, હજુ ભરાયા માત્ર 75, ભાજપના સત્તાવાર ઉમેવદારો જાહેર ન કરાતા અવઢવ મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત
Breaking news
Morbi Today

મોરબીની નવજીવન વિદ્યાલયમાં વ્યસન મુક્તિ જાગૃતિ ચિત્ર સ્પર્ધા યોજાઇ


SHARE











મોરબીની નવજીવન વિદ્યાલયમાં વ્યસન મુક્તિ જાગૃતિ ચિત્ર સ્પર્ધા યોજાઇ

મોરબી તમાકુ કન્ટ્રોલ સેલ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-રાજપર દ્વારા રવાપર ગામે આવેલી નવજીવન વિદ્યાલય શાળામાં વ્યસન અંગેની જાગૃતિ કેળવવા ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૫૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં વ્યસનની શારીરિક અસરો/માનસિક અસરો/ સ્ટોપ સ્મોકિંગ જેવા કલ્પનાશીલ અને માર્મિક ચિત્રોને વિદ્યાર્થીઓએ તૈયાર કર્યા હતા. જેમાંથી શ્રેષ્ઠ ચિત્રનું સર્જન કરનારને વિદ્યાર્થીઓને પ્રથમ, દ્વિતિય અને તૃતિય ક્રમે પુરસ્કાર આપવામ આવ્યો હતો અને અન્ય ૫૦ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન સ્વરૂપે પેન સહિતની સ્ટેશનરી આપવામાં આવી હતી નોંધનીય છે કે કાર્યક્રમના અંતે મેડિકલ ઓફિસર ડો. રીંકલબેન સાણંદિયાના સ્ટાફ દ્વારા શાળાના તમામ વિદ્યાર્થીઓને વ્યસન દ્વારા થતી શારીરિક અને આર્થિક નુકસાની વિશે માહિતી પ્રદાન કરવામાં આવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા શાળાના ટ્રસ્ટી ડી..બી. પાડલિયા, આચાર્ય કિશોરભાઈ મુંગરા અને હિરેનભાઈ બોપલિયા તથા તમામ સ્ટાફગણ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-રાજપરના સુપરવાઈઝર  દિનેશભાઈ રાંકજા, સબ સેન્ટર સ્ટાફ, CHO- ખ્યાતીબેન, અમિત ઘેલાણી, શીતલબેન, મેમુનાબેન સેરસિયા, પાર્થભાઈ શિંગાળા તથા અક્ષ્યગીરી ગોસાઈએ જહેમત ઉઠાવી હતી






Latest News