મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

મોરબીમાં ગાયની પુણ્યતિથિ નિમિત્તે ચિત્રા હનુમાનજી ધૂન મંડળનું પ્રેરણાદાયી કાર્ય


SHARE











મોરબીમાં ગાયની પુણ્યતિથિ નિમિત્તે ચિત્રા હનુમાનજી ધૂન મંડળનું પ્રેરણાદાયી કાર્ય

મોરબીના ચિત્રા હનુમાનજી ધૂન મંડળ દ્વારા નાની વાવડી માધવ અંધ અપંગ ગૌશાળાની ગોપી ગાયની પાંચમી  પુણ્યતિથિ નિમિત્તે   નાની વાવડી ગામ સમસ્ત તથા માધવ ગૌશાળાના સંચાલક ચેતન પડસુંબિયા અને તેની ટીમ દ્વારા ધુનનું આયોજન કરવામાં આવ્યું હતું.ધૂન રામજી મંદિર ચોકમાં રાખવામાં આવી હતી જેમાં ગામના સમસ્ત ગૌપ્રેમી ભાઈ-બહેનોએ ધૂનમાં આનંદ સાથે રાસ લીધો હતો સાથે ચિત્રા ધૂનમંડળના તમામ સભ્યો પણ રાસે રમ્યા હતા.તેમજ મંડળના સ્ટેજ કલાકાર સભ્યો ભજનિક રતિલાલ પટેલ, હેમંતભાઈ ભીમાણી, ચંદુભાઈ કડિવાર વગેરેએ ધૂનની જમાવટ કરેલ અને સાથે તબલા વાદક અંબારામ 

પટેલ, મંજીરા વાદક રતિલાલભાઈ, મહાદેવભાઇ, પ્રાણજીવનભાઈ વિગેરેએ સાથ આપી ધુનમાં જમાવટ કરી હતી.સૌ પ્રથમ વખત એક ગૌ માતાની પુણ્યતીથી નિમિતે ધુનનો લ્હાવો મળ્યો આ ધૂનમાં નાની વાવડી ગ્રામજનો થકી દાનની સરવાણી વહાવીને રૂ. ૬૩,૦૦૦ જેવું દાન એકત્રીત થયુ હતુ. જે તમામ દાન ચિત્રા હનુમાનજી ધૂન મંડળ દ્રારા માધવ અંધ અપંગ ગૌશાળામાં અર્પણ કરવામાં આવ્યું તેમ મંડળના પ્રમુખ ટી.સી.ફૂલતરિયા અને ચંદુભાઈ કડીવારે યાદીમાં જણાવેલ છે.

ત્રાજપર (ખારી) ગામે  ડિસેમ્બરે બાર બીજનું ઉજવણું

મોરબીના ત્રાજપર (ખારી) ગામે આગામી તા.૨૬ ડિસેમ્બરને સોમવારના રોજ રામદેવ પીર મંદિરે બાર બીજનું ઉજવણું કાર્યક્રમ યોજાશે.જે અંતર્ગત ૨૫ ડિસેમ્બરે રાત્રે ૮ કલાકે રામામંડળ ભજવવામાં આવશે.જ્યારે ૨૬ ડિસેમ્બરે સવારે ૯ કલાકે વરઘોડો નીકળશે અને બપોરે ૧૧ કલાકે રામદેવપીરના મંદિરે મહાપ્રસાદનું પણ આયોજન કરાયું છે.આ ધાર્મિક કાર્યક્રમમાં ધર્મપ્રેમી જનતાને ઉપસ્થિત રહેવા જય રામાપીર રામામંડળ- ત્રાજપર (ખારી) દ્રારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે






Latest News