મોરબીમાં યોજાયેલ બ્રહ્મ ચોર્યાસીમાં રાજ્યમંત્રી, સાંસદ, સહિતના આગેવાનો અને 5000થી વધુ ભૂદેવોએ પ્રસાદનો લાભ લીધો મોરબીમાં ગેરકાયદે કતલખાના તથા નોનવેજનું વેચાણ બંધ કરાવવા 52 કોર્પોરેટરની સહી સાથે હિન્દુ સંગઠનો સંમતિ, હવે પગલે ન લેવાય તો વિરોધ પ્રદર્શન સાથે પૂતળા દહનની ચીમકી મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના બગથળા ગામે ગુરુવંદના અને સ્નેહમિલનનો રવિવારે કાર્યક્રમ યોજાશે


SHARE







મોરબીના બગથળા ગામે ગુરુવંદના અને સ્નેહમિલનનો રવિવારે કાર્યક્રમ યોજાશે

મોરબી તાલુકાના બગથળા ગામે આવેલ હાઈસ્કૂલ શ્રી હરિ નકલંક વિદ્યાલયના વાર્ષ 2006ની બેચની એસએસસીના વિદ્યાર્થીઓ દ્વારા ગુરૂ વંદના તથા સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે ત્યારે આ હાઇસ્કુલના દરેક પુર્વ વિદ્યાર્થીઓને હાજર રહેવા માટે આયોજકોએ અનુરોધ કરેલ છે

ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમ:. પ્રાચિન કાળથી ભારતવર્ષમાં ગુરૂ શિષ્ય પરંપરા તેમજ તેમના સબંધો અનેરા ભાવપૂર્ણ અનેક દ્રષ્ટાંતરૂપ રહ્યા છે. ત્યારે ભારતીય સંસ્કૃતિમાં ગુરુ શિષ્યના અનેક પ્રેરક પ્રસંગો જોવા મળે છે જેમકે ગુરુ સાંદિપની ઋષિ અને તેમના શિષ્ય ભગવાન કૃષ્ણ, ગુરુ દ્રોણ અને તેના શિષ્ય અર્જુન આવાં અનેક ઉદાહરણો જોવા મળે છે જેમાંથી પ્રેરણા લઇને મોરબીની બગથળા હાઈસ્કૂલના વર્ષ 2006 ના એસએસસીના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા બગથળા ખાતે ગુરુ ભાવવંદના કાર્યક્રમનું આયોજન કરેલ છે અને તા 18/12 ને રવિવારે બપોરે ચાર કલાકે પટેલ સમાજ વાડી બગથળા ખાતે આ કાર્યક્રમ યોજાશે અને તેને સફળ બનાવવા માટે હાઈસ્કૂલના પૂર્વ વિદ્યાર્થી ઉમેશભાઈ ઠોરીયા અને કાનજીભાઈ સારદીયા સહિતના જહમત ઉઠાવી રહ્યા છે






Latest News