મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં મેયર સારો કે મારો તે પ્રશ્નાર્થ: મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર માટે ચાલતી ખેંચતાણમાં છેલ્લી ઘડીએ પેનલના નામ ઉપર નીચે કરાતા હોબાળો રાજકોટની જેલમાંથી પેરોલ ઉપર મુક્ત થયેલ કેદી નાસી જતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો મોરબીમાં સર્કિટ હાઉસ નજીક દેશી દારૂના હાટડા ઉપર સ્થાનિક લોકોની જનતા રેડ, પોલીસની કામગીરી સામે સવાલ વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીના રંગપર ગામે બાથરૂમમાં પડી જવાથી આધેડનું મોત નિપજ્યું: માલણીયાદ ગામે ઝેરી દવા પી ગયેલ પરિણીતાનું સારવારમાં મોત


SHARE











મોરબીના જેતપર રોડ ઉપર આવેલ રંગપર ગામે રહેતા આધેડ પોતાના ઘરે બાથરૂમમાં પડી ગયા હતા જેથી કરીને તેઓને ગંભીર ઈજા થઈ હોવાથી તેનું મૃત્યુ નીપજ્યું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસની જાણ કરવામાં આવતા મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી હતી તો માલણીયાદ ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ પરિણીતાનું સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતુ

બનાવવાની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના જેતપર રોડ ઉપર આવેલ રંગપર ગામે રહેતા દિલીપસિંહ સજુભા ઝાલા (ઉંમર વર્ષ 52) પોતાના ઘરે હતા ત્યારે પોતાના બાથરૂમની અંદર પડી જવાના કારણે તેઓને ઈજાઓ થઈ હતી જેથી કરીને તેનું ઘટના સ્થળેલ઼ જ મૃત્યુ નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈતો તપાસીને મૃત જાહેર કર્યા હતા ત્યાર બાદ અકસ્માતના આ બનાવની મોરબી તાલુકા પોલીસની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી

પરિણીતાનો આપઘાત

હળવદ તાલુકાના માલણીયાદ ગામે જયપાલસિંહ સુરુભાની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા રણજીતભાઈ ગરાસીયાના પત્ની અસ્મિતાબેન (ઉંમર વર્ષ 25)એ ગત તારીખ 30/11 ના સવારના દસેક વાગ્યાના અરસામાં કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને પ્રાથમિક સારવાર વઢવાણમાં આપ્યા બાદ સુરેન્દ્રનગર ખાતે તેઓને વધુ સારવાર માટે લઈ ગયા હતા અને ત્યાંથી ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે તેને લઈ જવામાં આવ્યા હતા જોકે સારવાર દરમિયાન અસ્મિતાબેન નું મૃત્યુ નીપજ્યું છે જેથી કરીને આ બનાવની પંચમહાલ જીલ્લાના રહેવાસી ગોવિંદભાઇ ગલીભાઇ મુનિયાએ હળવદ તાલુકા પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News