પ્રાથમિક શિક્ષક વીણાબેન દલસાણિયા (દેસાઈ) એ મોરબીને રાજયકક્ષાએ ગૌરવ અપાવ્યું મોરબીમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ભવ્યાતી ભવ્ય ઉજવણી વાંકાનેર બાઉન્ડ્રી પાસે બાવળની જાળીમાં રૂપિયા માટે મિત્રની હત્યા કરનારા આરોપીને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા મોરબીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિના લીધે જિલ્લા કોંગ્રેસના મહામંત્રીને હોદા ઉપરથી સસ્પેન્ડ કરતાં જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ સામે સોશ્યલ મીડિયામાં વોર શરૂ ! તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા
Breaking news
Morbi Today

મોરબી, ટંકારા અને વાંકાનેરમાં ભાજપને પ્રચંડ સમર્થન આપનાર મોરબીવાસીઓનો આભાર: જયુભા જાડેજા


SHARE











મોરબી, ટંકારા અને વાંકાનેરમાં ભાજપને પ્રચંડ સમર્થન આપનાર મોરબીવાસીઓનો આભાર: જયુભા જાડેજા

મોરબી જીલ્લામાં વિધાનસભાની ત્રણ બેઠક આવે છે તે તમામને અંકે કરવામાં માટે ભાજપના આગેવાનો, હોદેદારો અને કાર્યકરો સહિતના કામે લાગ્યા હતા તેના ફળ સ્વરૂપે આ જિલ્લાની ત્રણેય બેઠક ઉપર કમળ ખીલી ઉઠ્યું છે ત્યારે મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી જયુભા જાડેજાએ ભાજપ ઉપર આશીર્વાદ વરસાવનારા મતદારો સહિત સર્વેનો આભર વ્યક્ત કરેલ છે

 મોરબીની મોરબી-માળિયા બેઠક, ટંકારા-પડધરી બેઠક અને વાંકાનેર-કુવાડવાની બેઠક ઉપર ક્રમશઃ કાંતિભાઈ અમૃતિયા, દુર્લભજીભાઈ દેથરીયા અને જીતુભાઈ સોમાણીનો જંગી લીડથી વિજય થયેલો છે. ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની બેદાગ કાર્યશૈલી, અમિતભાઈની કોઠાસૂઝ તેમજ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ અને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપર વિશ્વાસ મૂકીને મોરબી જિલ્લા નાગરિકોએ ભાજપ ઉપર પ્રેમ વરસાવ્યો છે અને મતરૂપી જે આશીર્વાદ આપ્યા છે જેના થકી અહીંના ત્રણે ત્રણ ઉમેદવાર અને બાજુના જિલ્લાની બે સીટ મળી પાંચેય સીટો ભાજપે અંકે કરી છે ત્યારે અહીંના રાજપુત આગેવાન અને મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી જયુભા ઉદયસિંહ જાડેજા દ્વારા મોરબીના સર્વે રહેવાસીઓ મતદારોનો જાહેર આભાર માનવામાં આવ્યો હતો અને જે પ્રકારે પ્રજાએ ભાજપ ઉપર પ્રેમ વરસાવ્યો છે તે રીતે જ હવે અમારી (ભાજપ) ની ફરજ બને છે કે લોકોની જે કોઇ આશા અપેક્ષાઓ છે તે પૂરી કરવી અને તેના માટે અમે કોઇ કચાશ રાખીશું નહીં તેમ જયુભા જાડેજાએ યાદીમાં જણાવ્યું હતું.






Latest News