મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

મારા અને ભાજપ વિરુદ્ધ ઘેર ઘેર પ્રચાર કરવા નીકળેલ લોકોને મતદારોએ જવાબ આપી દીધો: કાંતિભાઈ અમૃતિયા


SHARE







મારા અને ભાજપ વિરુદ્ધ ઘેર ઘેર પ્રચાર કરવા નીકળેલ લોકોને મતદારોએ જવાબ આપી દીધો: કાંતિભાઈ અમૃતિયા

મોરબી માળિયા વિધાનસભા બેઠક ઉપરથી વિજેતા બનેલા ભાજપના ઉમેદવાર અને માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની તેઓના માદરે વતન જેતપર ગામની અંદર સભા યોજાઈ હતી અને ત્યારે કે.એસ. અમૃતિયા, ગોપાલભાઈ સરડવા, બચુભા રાણા, રજનીભાઈ સહિતના ભાજપના આગેવાનો, કાર્યકર્તાઓ અને હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં જેતપર ગામના આગેવાનો તેમજ ગ્રામજનો હાજર રહ્યા હતા અને ત્યારે તેમણે ખાસ કરીને મોરબીના પીપળીથી અણિયારી ચોકડી સુધી જે રોડ મંજુર થયો છે તે જિંદગીભર ન ટુટે તેઓ મજબૂત રોડ બનાવવા માટે થઈને લોકોને કોલ આપ્યો છે અને ગામના લોકોને કહ્યું હતું કે ગામમાં ગમે ત્યારે સારું કામ તમે લોકો કરશો ત્યારે હું તમારી સાથે ભેગો જ છો પણ કોઈપણ જગ્યાએ ખોટા કામ થાય તો હું ક્યારેય કોઈની સાથે નથી હોતો. વધુમાં તેમણે કહ્યું હતું કે વાઘપર ગામમાંથી પણ તેમને ૪૨૪ મતની લીડ મળી છે ત્યારે ઘેર ઘેર તેમના વિરુદ્ધમાં પ્રચાર કરવા માટે જે લોકો નીકળ્યા હતા તેને મતદારોએ જવાબ આપી દીધો છે અને સત્તા મળે ત્યારબાદ તેને જીરવી રાખવી તે ઘણું અઘરું છે આટલું જ નહીં ગામને લૂંટીને રાજકારણ ન કરી શકાય તેવી પણ કાંતિભાઈ અમૃતિયાએ સ્ટેજ ઉપરથી ટકોર કરી હતી અને હવે મોરબી જિલ્લામાં રાજકીય ડિઝાઇન બદલાવીને વિકાસની ડિઝાઇન કરવામાં આવશે તેવી પણ લાગણી વ્યક્ત કરી હતી






Latest News