મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર ગામ સહિત બેઠકમાં મોટા માણસોને મતદારો આંટી ગયા: કાંતિભાઈ અમૃતિયા


SHARE











મોરબીના મહેન્દ્રનગર ગામ સહિત બેઠકમાં મોટા માણસોને મતદારો આંટી ગયા: કાંતિભાઈ અમૃતિયા

મોરબી નજીકના મહેન્દ્રનગર ગામે ભાજપના વિજેતા ઉમેદવાર અને લોકલાડીલા નેતા કાંતિભાઈ અમૃતિયાની પરિણામ જાહેર થયા બાદ રાત્રે સભા યોજાઈ હતી તેમાં મોટી સંખ્યામાં મહેન્દ્રનગર ગામના લોકો તેમજ ભાજપના આગેવાનો, હોદ્દેદારો અને ટેકેદારો હાજર રહ્યા હતા ત્યારે ખાસ કરીને કાંતિભાઈ અમૃતિયાએ મહેન્દ્રનગર ચોકડી પાસે બનનારા ઓવરબ્રિજને લઈને લોકોની સુવિધામાં વધુ વધારો થાય તે પ્રકારની કામગીરી કરવામાં આવશે તેવી પાણીદાર ખાતરી આપી હતી અને આ તકે તેમણે મતદારોનો આભાર વ્યક્ત કરતા કહ્યું હતું કે મોટા માણસને મતદારો આંટી ગયા તેવો ઘાટ મહેન્દ્રનગર ગામ સહિત મોરબી માળિયા વિધાનસભા બેઠકમાં ઊભો કર્યો છે જે ઋણ હું ક્યારેય ભૂલીશ નહીં અને ખાસ કરીને ચૂંટણી પ્રચાર દરમિયાન ઘણા લોકોએ સોશિયલ મીડિયામાં કાંતિભાઈ મચ્છુ નદીમાં ઝુલતો પુલ તૂટ્યો ત્યારે છબછબીયા કરતા હતા તેવું કહ્યું હતું તેવું બોલનારા શખ્સોને શોધી લાવો અને ચાર કલાક ઈ ગટરના પાણીમાં તે છબછબિયા કરશે તો તેને હું રૂપિયા આપીશ તેવું પણ કહ્યું હતું






Latest News