મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા બાળકોના જન્મદિવસની દાનરાશિમાંથી ૧૦૦ તાડપત્રીનું વિતરણ કરાયું  મોરબીમાં મિત્ર સાથેના જૂના ઝઘડાનો ખાર રાખીને છરી, ધોકા અને પાઈપ વડે હુમલો: યુવાનને છરીના ઘા ઝીકયા, 5 સામે ફરિયાદ વાંકાનેરના માટેલ રોડે કારખાનામાં અને મોરબીના રાજપર ગામે ઇલેક્ટ્રીક શૉટ લાગતાં એક-એક યુવાનનું મોત મોરબીના સનાળા ગામે જાહેરમાં જુગાર રમતા 1 મહિલા સહિત 6 વ્યક્તિ 51,600 ની રોકડ સાથે પકડાયા વાંકાનેરના સરતાનપર રોડે બંધ પડેલા ટ્રકને રીપેર કરતાં સમયે માથા ઉપર જોઇન્ટ પડતાં ઇજા પામેલા યુવાનનું મોત સરકાર કયારે જાગશે?: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આમરણાંત ઉપવાસ આંદોલનમાં બે મહિલા ઉપવાસની તબિયત લથડી ગાંધીનગર ખાતે સરકાર સાથે ચર્ચા કરવા જવાનો મોરબીના જેતપર ગામના ખેડૂતોનો ઇનકાર: યોગ્ય વળતર માટે 6 સ્પષ્ટ માંગણી ખેડૂતોએ મોકલવી દીધી મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાની રાજકીય ડિઝાઇન ફેરવવાનું કામ જે કરતા હોય તેને સ્ટેજ તો ઠીક સંગઠનમાં પણ સમાવવા નહીં: કાંતિભાઈ અમૃતિયા


SHARE











મોરબી જિલ્લાની રાજકીય ડિઝાઇન ફેરવવાનું કામ જે કરતા હોય તેને સ્ટેજ તો ઠીક સંગઠનમાં પણ સમાવવા નહીં: કાંતિભાઈ અમૃતિયા

મોરબી માળિયા વિધાનસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર કાંતિલાલની ઐતિહાસિક જીત થયેલ છે ત્યારે મત ગણતરી સેન્ટરથી લઈને સનાળા રોડ પર આવેલ માર્કેટયાર્ડ સુધી વિજય સરઘસ યોજાયો હતો અને ત્યારબાદ ત્યાં કાંતિલાલ અમૃતિયાની સભા યોજાઈ હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે મોરબી માળિયા વિસ્તારનો બધો જ સમાજ તેની સાથે રહ્યો છે જેથી કરીને ૬૨૦૭૯ મતની  ઐતિહાસિક લીડ સાથે ભાજયનું કમળ અહીંયા ખીલી ઉઠ્યું છે હવે અમારી જવાબદારી વધી છે અને આગામી સમયમાં લોકોના લોકોની સુખાકારીમાં વધારો થાય તે માટેને કામગીરીને પ્રાધાન્ય આપવામાં આવશે તેવો પાણીદાર કોલ આપેલ હતો અને મોરબી જિલ્લાની રાજકીય ડિઝાઇન ફેરવવાનું કામ જે કરતા હતા તેને હવે સ્ટેજ ઉપર તો ઠીક સંગઠનમાં પણ સમાવવા નહીં તેવી ટકોર કરી હતી

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે થયેલ મતદાનની મત ગણતરી કરવામાં આવી હતી ત્યારે જો મોરબી માળિયા વિધાનસભા બેઠકની વાત કરીએ તો મોરબી માળિયા વિધાનસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર કાંતિભાઈ અમૃતિયાનો ૬૨૦૭૯ મતે વિજય થયો છે ત્યારે મોરબીમાં મતગણતરી સેન્ટરથી લઈને શહેરના મુખ્ય માર્ગો ઉપર થઈ માર્કેટયાર્ડ સુધી તેનું વિજય સરઘસ યોજાયું હતું તેમાં ઝૂલતા પુલની દુર્ઘટનાને ધ્યાને લઈને કોઈ જગ્યાએ આતિશબાજી કરવામાં આવી ન હતી અને ઢોલ નગારા વગાડવામાં આવેલ ન હતા અને ત્યાર બાદ યાર્ડમાં સભા યોજાઇ હતી જેમાં કાંતિલાલ અમૃતિયા સાથે વિશાળ સંખ્યામાં તેના ટેકેદારો, ભાજપ પરિવારના આગેવાનો હોદ્દેદારો અને કાર્યકરો તેમજ તેના પરિવારજનો હાજર રહ્યા હતા

મોરબી ભાજપના સિનિયર આગેવાન પ્રજ્ઞેશભાઈ વાઘેલાએ જણાવ્યુ હતું કે કાંતિભાઈને પતાવી દેવા માટેની યોજના બનાવનારાઓના કુંડાળાં અમે ભૂસી નાખ્યા છે કેમ કે, અમારું માથું નીચું થાય, અવાજ નીચો થાય કે આંખ નીચું થાય તેવું કોઈ કામ કરેલ નથી મોરબી શહેર ભાજપના પ્રમુખ લખાભાઇ જારીયાએ જણાવ્યુ હતું કે, ૫૧ હજારની લીડ કીધી હતી ત્યારે સામે વાળા દાંત કાઢતા હતા જો કે, હવે તેની બોલતી બંધ થઈ ગયેલ છે મોરબી જિલ્લા ભાજપના માજી મહામંત્રી જે.પી.જેસવાણીએ જણાવ્યુ હતું કે, કાંતિભાઈ અમૃતીયએ લોકો માટે છેલ્લા વર્ષોમાં જે કામ કર્યું હતું તેની માહિતી આપી હતી તો ભાજપના સિનિયર આગેવાન પ્રદીપભાઇ વાળાએ કાંતિભાઈ અમૃતિયા લોકનેતા છે માટે તેને ઐતિહાસિક લીડ આ બેઠક ઉપર મળી છે તેવી લાગણી વ્યક્ત કરી હતી

માર્કેટિંગ યાર્ડની સભામાં કાંતિભાઈ અમૃતિયાએ તેમણે જણાવ્યું હતું કે, મોરબી માળિયા બેઠક ઉપર તમામ સમાજના લોકો તેની સાથે રહ્યા છે જેથી કરીને ભાજપનું કમળ ઐતિહાસિક લીડ સાથે મોરબી માળિયા બેઠક ઉપર ખીલી ઉઠ્યું છે અને આ ચૂંટણીમાં કેટલાક આગેવાનો દ્વારા જે કાવા દાવા કરવામાં આવ્યા હતા તેને આડેલા હાથે લેતા કાંતિભાઈએ ટકોર કરી હતી કે, આ જિલ્લાની રાજકીય ડિઝાઇન ફેરવવા માટેનું કામ જે કરતા હોય તે લોકોને સ્ટેજ ઉપર બેસાડવા નહીં અને સંગઠનમાં સમાવવા નહીં. ત્યારે સભામાં હાજર રહેલા લોકો દ્વારા ભારત માતા કી જય, અને વંદે માતરમના નારા લગાવવામાં આવ્યા હતા. તેમજ સહકારી ક્ષેત્રમાં પણ થોડો સુધારો કરવાની જરૂર હશે તો તે કરી નાખીશું તેનું પણ કાંતિભાઈ અમૃતિયાએ મંચ ઉપરથી કહ્યું હતું

આગામી દિવસોમાં મોરબી માળિયા વિધાનસભા બેઠક વિસ્તારમાં લોકોની સુખ સુવિધામાં વધારો થાય, ખાસ કરીને માળિયા પંથકની અંદર લોકોની રોજગારીમાં વધારો થાય, બાળકોને સારું શિક્ષણ મળે તે સહિતના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી દ્વારા કામગીરી કરવામાં આવશે અને એક પણ રૂપિયાનો ભ્રષ્ટાચાર મોરબી જિલ્લામાં નહીં થાય તેવી ખાતરી કાંતિલાલ અમૃતિયા ખાતરી આપી હતી વધુમાં તેને કહ્યું હતું કે, ૨૦ ટકા અને ૩૦ ટકા વાળા હવે સંકેલો કરી લેજો કેમ કે, હરામના પૈસા લેવા નહીં અહીને અહી જ ચૂકવવું પડે છે આ ચુંટણીમાં જીલ્લામાં ભાજપના ચૂંટાયેલા તમામ ધારાસભ્ય જેમાં પ્રકાશ તોડી નાખે તેવો, મેઘજીભાઇ સારા માણસ, દુર્લભજીભાઈ રેડી માણસ, જીતુભાઈ રેડી માણસ અને હું ડ્રાઈવર બનીશ જેથી કરીને આ જિલ્લાની ગાડી હવે સડસડાટ દોડશે અને આ જિલ્લાનું વાતાવરણ જે બગડયું હતું તે હવે સુધારી આપશુ આ સભાનું સંચાલન હસુભાઈ પંડ્યા દ્વારા કરવામાં આવ્યું હતું 
 






Latest News