મોરબીમાં ગેરકાયદે કતલખાના તથા નોનવેજનું વેચાણ બંધ કરાવવા 52 કોર્પોરેટરની સહી સાથે હિન્દુ સંગઠનો સંમતિ, હવે પગલે ન લેવાય તો વિરોધ પ્રદર્શન સાથે પૂતળા દહનની ચીમકી મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો
Breaking news
Morbi Today

મોરબીના સાપકડા ગામે વાડીએ દવા પી ગયેલ વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત


SHARE







મોરબીના સાપકડા ગામે વાડીએ દવા પી ગયેલ વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના સાપકડા ગામે વાડી વિસ્તારમાં રહીને કામકાજ કરતા વૃદ્ધા ઝેરી દવા પી ગયા હતા જેથી કરીને તેમને સારવારમાં ખસેડા હતા ત્યાં સારવાર દરમિયાન તેઓનું મોત નિપજવાનું જાણવા મળેલ છે.

હળવદ પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ભરતભાઇ કાનજીભાઇ મકવાણા જાતે સતવારા (ઉ.વ.૫૨) ધંધો ખેતીકામ રહે.જુના સાપકડા હળવદએ પોલીસ મથકે જાહેર કર્યુ હતુ કે તેમના માતા વાલીબેન કાનજીભાઇ વજાભાઇ મકવાણા જાતે સતવારા (ઉ.વ.૭૨) રહે.જુના સાપકડા તા.હળવદ જી. મોરબી તા.૭-૧૨ ના સવારે ૧૧ વાગ્યાના અરસામાં તેમના ધરે કોઇ કારણસર કોઇ ઝેરી દવા પી જતા સારવારમાં ખસેડાયા હતા અને સારવાર દરમ્યાન વાલીબેનનું મોત નીપજયુ હતુ.

બીમારી મોત

મોરબી નજીકના લાલપર ગામે આવેલ સિરામીકના કારખાનાના ક્વાર્ટરમાં રહીને મજૂરી કામ કરતી અને મૂળ મધ્યપ્રદેશની મહિલાનું ટૂંકી બીમારી સબબ મોત નિપજયુ હોવાનું જાણવા મળેલ છે.મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ જ્ઞાનાબાઇ ઉર્ફે જસ્માબાઇ અંબારામભાઇ દમડીયાભાઇ ખદેડા જાતે આદીવાસી (ઉ.વ.૩૩) રહે. લાલપર ગામની સીમ નાઇસ સીરામીક કારખાનાના લેબર કવાટર્સમાં તા.જી.મોરબી મૂળ રહે ચીતવેલ ધરમપુર જીલ્લો ધાર મધ્યપ્રદેશ તેના લેબર ક્વાર્ટરમાં હતી અને છેલ્લા થોડા દિવસોથી બીમાર હોય બીમારી સબબ તેણીનું મોત નીપજયુ હતું.તેનો લગ્ન ગાળો દસેક વર્ષનો હોય પીએમ માટે ડેડબોડી લાવવામાં આવ્યું હતું જેથી તાલુકા પોલીસ દ્વારા બનાવની નોંધ કરવામાં આવી હતી અને જે અંગે જે.એમ.જાડેજા દ્વારા આગળની તપાસ કરાવવામાં આવી રહી છે.

મારામારીમાં ઇજા

મોરબીના વાવડી ગામે આવેલ ભૂમિ ટાવરમાં રહેતા દિનેશભાઈ જેમલભાઈ ભંખોડીયા નામના ૨૪ વર્ષના યુવાનને મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચતા અહીંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હોવાનું તાલુકા પોલીસ દ્વારા જણાવવામાં આવેલ છે અને બનામ અંગે નોંધ કરી તે અંગે આગળની તપાસ લાવવામાં આવી રહી છે.






Latest News