મોરબી એસ.ટી. ડેપોના ૧૪૫થી વધુ અધિકારી-કર્મચારીઓનું આરોગ્ય સ્ક્રીનીંગ કરાયું સરકારની વિદેશ અભ્યાસ લોન યોજના થકી મોરબીના હર્ષ બોસીયાનું MBBS કરવાનું સ્વપ્ન થયું સાકાર મોરબી જિલ્લામાં ૬૫મી સુબ્રટો મુખરજી કપ ફૂટબોલ સ્પર્ધા યોજાશે મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ (સમરસ) ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો ગુજરાતમાં 30 લાખ ખેડૂતોને ભેગા થતાં વાર નહીં લાગે: માળીયા (મી)માં વીજપોલ-વાયરના વળતર માટે સરપંચ એસો.-ખેડૂત મેદાને મોરબીમાં પોલીસને બાતમી દેતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજાનું ઢીમ ઢાળી દેનારા કાકા સહિતના 4 આરોપીના રિમાન્ડ લેવા તજવીજ ખાનગી કંપનીના વિજપોલ અને વાયરના વળતર બાબતે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તેવો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે: મંત્રી કાંતિભાઈ અમૃતિયા ખેડૂતોની માંગ પૂરી કરો, હવે ખેડૂતો પૂરા થવાની તૈયારીમાં છે: મોરબીના જેતપર ગામે યોજાયેલ ડાયરાના મંચ ઉપરથી હકાભા ગઢવીની સરકારને વિનંતી
Breaking news
Morbi Today

મોરબીના સાપકડા ગામે વાડીએ દવા પી ગયેલ વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત


SHARE











મોરબીના સાપકડા ગામે વાડીએ દવા પી ગયેલ વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના સાપકડા ગામે વાડી વિસ્તારમાં રહીને કામકાજ કરતા વૃદ્ધા ઝેરી દવા પી ગયા હતા જેથી કરીને તેમને સારવારમાં ખસેડા હતા ત્યાં સારવાર દરમિયાન તેઓનું મોત નિપજવાનું જાણવા મળેલ છે.

હળવદ પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ભરતભાઇ કાનજીભાઇ મકવાણા જાતે સતવારા (ઉ.વ.૫૨) ધંધો ખેતીકામ રહે.જુના સાપકડા હળવદએ પોલીસ મથકે જાહેર કર્યુ હતુ કે તેમના માતા વાલીબેન કાનજીભાઇ વજાભાઇ મકવાણા જાતે સતવારા (ઉ.વ.૭૨) રહે.જુના સાપકડા તા.હળવદ જી. મોરબી તા.૭-૧૨ ના સવારે ૧૧ વાગ્યાના અરસામાં તેમના ધરે કોઇ કારણસર કોઇ ઝેરી દવા પી જતા સારવારમાં ખસેડાયા હતા અને સારવાર દરમ્યાન વાલીબેનનું મોત નીપજયુ હતુ.

બીમારી મોત

મોરબી નજીકના લાલપર ગામે આવેલ સિરામીકના કારખાનાના ક્વાર્ટરમાં રહીને મજૂરી કામ કરતી અને મૂળ મધ્યપ્રદેશની મહિલાનું ટૂંકી બીમારી સબબ મોત નિપજયુ હોવાનું જાણવા મળેલ છે.મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ જ્ઞાનાબાઇ ઉર્ફે જસ્માબાઇ અંબારામભાઇ દમડીયાભાઇ ખદેડા જાતે આદીવાસી (ઉ.વ.૩૩) રહે. લાલપર ગામની સીમ નાઇસ સીરામીક કારખાનાના લેબર કવાટર્સમાં તા.જી.મોરબી મૂળ રહે ચીતવેલ ધરમપુર જીલ્લો ધાર મધ્યપ્રદેશ તેના લેબર ક્વાર્ટરમાં હતી અને છેલ્લા થોડા દિવસોથી બીમાર હોય બીમારી સબબ તેણીનું મોત નીપજયુ હતું.તેનો લગ્ન ગાળો દસેક વર્ષનો હોય પીએમ માટે ડેડબોડી લાવવામાં આવ્યું હતું જેથી તાલુકા પોલીસ દ્વારા બનાવની નોંધ કરવામાં આવી હતી અને જે અંગે જે.એમ.જાડેજા દ્વારા આગળની તપાસ કરાવવામાં આવી રહી છે.

મારામારીમાં ઇજા

મોરબીના વાવડી ગામે આવેલ ભૂમિ ટાવરમાં રહેતા દિનેશભાઈ જેમલભાઈ ભંખોડીયા નામના ૨૪ વર્ષના યુવાનને મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચતા અહીંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હોવાનું તાલુકા પોલીસ દ્વારા જણાવવામાં આવેલ છે અને બનામ અંગે નોંધ કરી તે અંગે આગળની તપાસ લાવવામાં આવી રહી છે.






Latest News