મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં મેયર સારો કે મારો તે પ્રશ્નાર્થ: મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર માટે ચાલતી ખેંચતાણમાં છેલ્લી ઘડીએ પેનલના નામ ઉપર નીચે કરાતા હોબાળો રાજકોટની જેલમાંથી પેરોલ ઉપર મુક્ત થયેલ કેદી નાસી જતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો મોરબીમાં સર્કિટ હાઉસ નજીક દેશી દારૂના હાટડા ઉપર સ્થાનિક લોકોની જનતા રેડ, પોલીસની કામગીરી સામે સવાલ વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો
Breaking news
Morbi Today

હળવદના રણજીતગઢ ગામની સીમમાં પસાર થતી નર્મદાની કેનાલમાં ડૂબીને મરણ પામેલ ત્રણેય યુવાનોની ઓળખ મળી


SHARE











હળવદના રણજીતગઢ ગામની સીમમાં પસાર થતી નર્મદાની કેનાલમાં ડૂબીને મરણ પામેલ ત્રણેય યુવાનોની ઓળખ મળી

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના રણજીતગઢ ગામની સીમમાં એસી એગ્રો ટેકનોલોજી નામના રોટાવેટર બનાવવાના કારખાનાની પાછળથી પસાર થતી નર્મદાની કેનાલમાં ગત તા.૧-૧૨ ના રોજ ત્રણ યુવાનો નર્મદાની કેનાલમાં ડૂબ્યા હતા અને ત્રણેયના મૃતગેહો જ બહાર કાઢવામાં આવ્યા હતા જે અંગે હળવદ પોલીસમાં નોંધ થવા પામી છે.

આ અંગે હાલમાં શ્રવણ ઈશ્વરભાઇ કડલીયા જાતે ઠાકોર (ઉ.વ.૬૦) ધંધો ખેતીકામ રહે.વરણ તા.ડીસા જી.બનાસકાંઠાએ હળવદ પોલીસમાં જાહેર કર્યું હતું કે કેવારામ સવસીરામ ઠાકોર (ઉ.વ.૨૩) રહે.ભમરીયા તા. રાણીવાડા જી.જાલોર રાજસ્થાન, અલ્પેશભાઇ શ્રવણભાઇ કડલીયા જાતે ઠાકોર (ઉ.વ.૧૮) રહે.વરણ તા.ડીસા જી.બનાસકાંઠા અને મહેન્દ્રભાઇ વાલારામ ડાભી જાતે કોળી (ઉ.વ.૧૮) રહે ભમરીયા તા.રાણીવાડા જી.જાલોર રાજસ્થાન રણજીતગઢ ગામની સીમમા એસી એગ્રો ટેકનોલોજી નામના રોટોવેટર બનાવવાના કારખાનાની પાછળ આવેલ નર્મદા કેનાલમા ન્હાવા માટે જતા નર્મદા કેનાલના પાણીમા ત્રણેય તણાઇ ડુબી જતા ત્રણેયના મોત નિપજેલ છે.હાલમાં એમ.એમ.સદાદીયા તપાસ ચલાવી રહ્યા છે.

વાહન અકસ્માતમાં ઇજા

જામનગર ખાતે આવેલ ગુરુદ્વારા ચોકડી પાસે રહેતા રંભીબેન દેવાયતભાઈ લાઠીયા (૬૫) અને પીંભીબેન અરજણભાઈ વસરા (૬૦) નામના બે વૃદ્ધાઓ જામનગરના જોડીયા તાલુકાના માવના ગામ પાસે આવેલ ગામના પાટીયા પાસેથી રિક્ષામાં બેસીને જતા હતા ત્યારે તેઓની રીક્ષા ત્યાં પલટી મારી જતા ઇજાગ્રસ્ત થયેલા રંભીબેન અને પીંભીબેનને સારવાર માટે મોરબી ખસેડાયા હતા અને પ્રાથમીક સારવાર બાદ બંનેને વધુ સારવાર માટે હાલમાં રાજકોટ લઈ જવામાં આવ્યા આવવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.






Latest News