મોરબીમાં મિત્રના લગ્નમાં ગયેલ યુવાનને કાતરૂ કેમ મારતો હતો તેવું કહીને વાસા-બેઠકના ભાગે છરીના ઘા ઝીંકી દીધા વાંકાનેર તાલુકામાં તળાવ ઊંડા કરવા અને પાળ મજબૂત કરવા કામનું જિજ્ઞાશબેન મેરે ખાતમહૂર્ત કર્યું મોરબી મનપાની ફાયર શાખામાં ૨૧ ઓપરેટરોની કોન્ટ્રાક્ટ બેઇઝ ભરતી કરાઇ મોરબી મનપા દ્વારા ડોગ સેલ્ટર બનાવવાની કામગીરી ચાલુ, વેક્સિનેશન પણ શરૂ કરાશે મોરબીના સરદાર રોડ, શનાળા રોડ સહિતના વિસ્તારોમાંથી ગેરકાયદે દબાણો દુર કરાયા મોરબી મહાનગરપાલિકા આશ્રયગૃહ ખાતે આશ્રીતો માટે ઈ-નિર્માણ યોજના કેમ્પ યોજાયો મોરબીના પંચાસર રોડે 300 મકાનનું ડિમોલેશન કરતાં પહેલા સ્થાનિકોને વૈકલ્પિક વ્યવસ્થા આપવાની માંગ: કમિશનરને આવેદન પાઠવ્યું હળવદ તાલુકામાં સગીરા સાથે દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની સખ્ત કેદની સજા, 25000 નો દંડ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં નવી રાતીદેવડીમાં મોબાઇલની લેતી દેતી બાબતે માથાકૂટ, સામસામી ફરિયાદ નોંધાઈ


SHARE













વાંકાનેરમાં નવી રાતીદેવડીમાં મોબાઇલની લેતી દેતી બાબતે માથાકૂટ, સામસામી ફરિયાદ નોંધાઈ

વાંકાનેરમાં નવી રાતીદેવડી ખાતે રહેતા બે યુવાનોને ફોનની લેતી-દેતી બાબતે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ બંને પક્ષેથી મારામારીનો બનાવ બન્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જોકે, હાલમાં બંને યુવાનની માતાઓએ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે મારામારીના બનાવમાં સામસામી ફરિયાદ લઈને આરોપીઓને પકડવા માટેની તજવીજ શરૂ કરી છે

વાંકાનેરમાં નવી રાતીદેવડી ખાતે રહેતા રાધાબેન જયંતીભાઈ વિકાણી (ઉંમર ૫૦) હાલમાં વિજયભાઈ અમુભાઈ વિકાણી, અરવિંદભાઈ મનજીભાઈ વિકાણી અને પરેશભાઈ ભુરાભાઈ સોલંકીએ તેઓના દિકરા સહિત ત્રણને માર માર્યો હોવાની અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવે છે જેમાં તેમણે જણાવ્યું છે કે તેઓના દિકરા શાયરને આરોપી વિજય સાથે ફોનની લેતી-દેતી બાબતે બોલાચાલી થઈ હતી જેથી આરોપીએ શાયરે તેના ઘર પાસે બોલાવ્યો હતો અને ત્યાર બાદ તેને ગાળો આપીને ઝપાઝપી કરીને માર માર્યો હતો અને તેની સાથે રોહિતભાઈ અને સાગરભાઈને પણ લાકડાના ધોકા વડે માર મારવામાં આવ્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી કરીને હાલમાં ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને રાધાબેને ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે થઈને તજવીજ શરૂ કરી હતી

તો સામા પક્ષેથી ગીતાબેન અમુભાઈ વિકાણીએ હાલમાં શાયર જયંતિભાઇ વિકાણી, સાગર જયંતીભાઈ વિકાણી અને રોહિત ધારૂભાઈ વિકાણીની સામે માર માર્યો હોવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે તેઓના દિકરા વિજયને ફોનની લેતી-દેતી બાબતે શાયર સાથે માથાકૂટ હતી તે બાબતે બોલાચાલી કરીને આરોપીઓએ ફરિયાદીના દીકરાને ગાળો આપીને લાકડાના ધોકા વડે માર માર્યો હતો અને ત્યારબાદ મણીભાઈને પણ શરીરે ઇજાઓ કરી હતી જેથી કરીને હાલમાં પોલીસે મારામારીના બનાવોની અંદર બંને પક્ષેથી ફરિયાદ લઈને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News