મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત મોરબી એસ.ટી. ડેપોના ૧૪૫થી વધુ અધિકારી-કર્મચારીઓનું આરોગ્ય સ્ક્રીનીંગ કરાયું સરકારની વિદેશ અભ્યાસ લોન યોજના થકી મોરબીના હર્ષ બોસીયાનું MBBS કરવાનું સ્વપ્ન થયું સાકાર મોરબી જિલ્લામાં ૬૫મી સુબ્રટો મુખરજી કપ ફૂટબોલ સ્પર્ધા યોજાશે મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ (સમરસ) ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો ગુજરાતમાં 30 લાખ ખેડૂતોને ભેગા થતાં વાર નહીં લાગે: માળીયા (મી)માં વીજપોલ-વાયરના વળતર માટે સરપંચ એસો.-ખેડૂત મેદાને મોરબીમાં પોલીસને બાતમી દેતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજાનું ઢીમ ઢાળી દેનારા કાકા સહિતના 4 આરોપીના રિમાન્ડ લેવા તજવીજ ખાનગી કંપનીના વિજપોલ અને વાયરના વળતર બાબતે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તેવો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે: મંત્રી કાંતિભાઈ અમૃતિયા
Breaking news
Morbi Today

મોરબી : માળીયાથી સામખયારી જતી એસટી બસ ટ્રક સાથે અથડાતા ચારને ઈજા


SHARE











મોરબી : માળીયાથી સામખયારી જતી એસટી બસ ટ્રક સાથે અથડાતા ચારને ઈજા

મોરબી જિલ્લાના માળીયા મીંયાણા તાલુકામાં માળીયાથી સુરજબારી જવાના રસ્તે નવા પુલ નજીક વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં એસટીની બસ ટ્રક સાથે અથડાતાં સર્જાયેલા વાહન અકસ્માતમાં ચાર મુસાફરોને ઇજા થતા તેઓને સારવારમાં અહિંની સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા.

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ માળીયાથી સામખયારી જતા નવા પુલ પાસે વાહન અકસ્માત થયો હતો જેમાં એસટીની બસ ટ્રક સાથે અથડાતા સર્જાયેલા અકસ્માતના બનાવમાં ઇશાભાઈ નાનુભાઈ તડવી (ઉમર ૭૨) રહે.ગાંધીધામ, ભરત બાબુભાઇ પટેલ (ઉમર ૪૭) રહે.આધોઈ(કચ્છ), નટવરજી ચંદરજી મકવાણા (ઉમર ૪૧) રહે.ગાંધીનગર અને નટવર ચકુભાઇ રાઠવા (ઉમર ૩૯) રહે.ડુંગરપુર કવાંટ છોટાઉદેપુર નામના ચાર લોકોને ઇજાઓ થવાથી ચારેયને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના સામાકાંઠે એલઇ કોલેજ વિસ્તારમાં સ્ટાફ ક્વાટર્સમાં રહેતા જુસબભાઈ અલીભાઈ હરાણી નામના ૬૯ વર્ષીય આધેડ સાઈકલ લઈને જતા હતા ત્યારે સાયકલમાંથી પડી જતા ઈજાગ્રસ્ત થયેલા જુસબભાઈને અહીંની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લવાયા હતા.

રાજકોટ હાઇવે અકસ્માત

મોરબી-રાજકોટ હાઇવે ઉપર લજાઈ ચોકડી પાસે ઓનેસ્ટ હોટલ નજીક ગઈકાલે કાર અને ટ્રક અકસ્માત સર્જાયો હતો જેમાં જામનગરના બે લોકોને ઇજાઓ થતાં સારવારમાં મોરબી ખસેડાયા હતા. મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ રાજકોટ હાઇવે ઉપર લજાઈ ચોકડી નજીક વાહન અકસ્માત થયો હતો જેમાં કાર અને ટ્રક ટકરાયા હોય અવેશ ઉસ્માન ખીરા (ઉમર ૨૯) અને વિનાયક સલીમ ફકીર (ઉમર ૨૫) રહે.બંને જામનગર વાળાઓને ઇજાઓ થતાં બંનેને સારવાર માટે અનવરભાઇએ મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડયા હતા.

મહિલા સારવારમાં

મૂળ વડોદરાની અને હાલ મોરબીના શનાળા-કંડલા બાયપાસ ઉપર આવેલ તુલસીપાર્ક વિસ્તારમાં રહેતી શબીયાબેન રહીમભાઈ ધમાણી નામની ૩૦ વર્ષીય મહિલાને કોઈ કારણોસર તેના જેઠ સાથે બોલાચાલી થયા બાદ જેઠે માર મારતા મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં લાવવામાં આવી હતી.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News