મોરબીના બાયપાસ રોડ ઉપરથી 10 જેટલા કાચા પાકા દબાણોને મનપાની ટીમે તોડી પાડ્યા મોરબીમાં ઘરેલુ હિંસાથી પીડિત સગર્ભા મહિલાને અજુગતુ પગલુ ભરતા બચાવતી 181 અભયમ ટીમ વાંકાનેરમાં મંદિરના નવનિર્માણના નામે જુદાજુદા બે લક્કી ડ્રોની ટિકિટોનું વેચાણ કરતો એજન્ટ પકડાયો: 13 સામે ગુનો નોંધાયો મોરબીના નીચી માંડલ પાસે રોડ ક્રોસ કરતાં યુવાનને ડમ્પર ચાલકે હડફેટે લેતા પગમાં 3 ફ્રેકચર: વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા ટંકારાના સાવડી ગામ પાસે બાઇક ચાલકે સાયકલને ટક્કર મારતા ઇજા પામેલા આધેડનું સારવારમાં મોત વાંકાનેર-માળીયા તાલુકા અને મોરબી શહેરમાં વિદેશી દારૂની 4 રેડ: દારૂની નાની મોટી 30 બોટલ કબ્જે માળીયા (મી)ના નવલખી પોર્ટ ખાતે કાકા સાથે રહેતા સગીરને બે દિવસ પછી રાજકોટ માતા પાસે જવાનું કહેતા અતિંમ પગલુ ભર્યુ-મોત મોરબીના સોખડા ગામે ઘરેથી નીકળી ગયેલ માનસિક બીમાર યુવાનનો ખેતરમાંથી કોહવાય ગયેલ હાલતમાં મૃતદેહ મળ્યો: વાંકનેરમાં વૃદ્ધનું બીમારી સબબ મોત
Breaking news
Morbi Today

મોરબી : માળીયાથી સામખયારી જતી એસટી બસ ટ્રક સાથે અથડાતા ચારને ઈજા


SHARE











મોરબી : માળીયાથી સામખયારી જતી એસટી બસ ટ્રક સાથે અથડાતા ચારને ઈજા

મોરબી જિલ્લાના માળીયા મીંયાણા તાલુકામાં માળીયાથી સુરજબારી જવાના રસ્તે નવા પુલ નજીક વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં એસટીની બસ ટ્રક સાથે અથડાતાં સર્જાયેલા વાહન અકસ્માતમાં ચાર મુસાફરોને ઇજા થતા તેઓને સારવારમાં અહિંની સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા.

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ માળીયાથી સામખયારી જતા નવા પુલ પાસે વાહન અકસ્માત થયો હતો જેમાં એસટીની બસ ટ્રક સાથે અથડાતા સર્જાયેલા અકસ્માતના બનાવમાં ઇશાભાઈ નાનુભાઈ તડવી (ઉમર ૭૨) રહે.ગાંધીધામ, ભરત બાબુભાઇ પટેલ (ઉમર ૪૭) રહે.આધોઈ(કચ્છ), નટવરજી ચંદરજી મકવાણા (ઉમર ૪૧) રહે.ગાંધીનગર અને નટવર ચકુભાઇ રાઠવા (ઉમર ૩૯) રહે.ડુંગરપુર કવાંટ છોટાઉદેપુર નામના ચાર લોકોને ઇજાઓ થવાથી ચારેયને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના સામાકાંઠે એલઇ કોલેજ વિસ્તારમાં સ્ટાફ ક્વાટર્સમાં રહેતા જુસબભાઈ અલીભાઈ હરાણી નામના ૬૯ વર્ષીય આધેડ સાઈકલ લઈને જતા હતા ત્યારે સાયકલમાંથી પડી જતા ઈજાગ્રસ્ત થયેલા જુસબભાઈને અહીંની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લવાયા હતા.

રાજકોટ હાઇવે અકસ્માત

મોરબી-રાજકોટ હાઇવે ઉપર લજાઈ ચોકડી પાસે ઓનેસ્ટ હોટલ નજીક ગઈકાલે કાર અને ટ્રક અકસ્માત સર્જાયો હતો જેમાં જામનગરના બે લોકોને ઇજાઓ થતાં સારવારમાં મોરબી ખસેડાયા હતા. મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ રાજકોટ હાઇવે ઉપર લજાઈ ચોકડી નજીક વાહન અકસ્માત થયો હતો જેમાં કાર અને ટ્રક ટકરાયા હોય અવેશ ઉસ્માન ખીરા (ઉમર ૨૯) અને વિનાયક સલીમ ફકીર (ઉમર ૨૫) રહે.બંને જામનગર વાળાઓને ઇજાઓ થતાં બંનેને સારવાર માટે અનવરભાઇએ મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડયા હતા.

મહિલા સારવારમાં

મૂળ વડોદરાની અને હાલ મોરબીના શનાળા-કંડલા બાયપાસ ઉપર આવેલ તુલસીપાર્ક વિસ્તારમાં રહેતી શબીયાબેન રહીમભાઈ ધમાણી નામની ૩૦ વર્ષીય મહિલાને કોઈ કારણોસર તેના જેઠ સાથે બોલાચાલી થયા બાદ જેઠે માર મારતા મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં લાવવામાં આવી હતી.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News