ગુજરાત બાર કાઉન્સીલમાં સતત ચોથી વાર ચૂંટાયેલા દિલીપભાઇ પટેલનું મોરબીમાં વાજતે ગાજતે સ્વાગત કરાયું મોરબી સહિત ગુજરાતમાં વાવાઝોડું-કમોસમી વરસાદથી થયેલ નુકશાન સામે વળતર આપવા આપના આગેવાનની મુખ્યમંત્રીને રજૂઆત મોરબીમાં મહાપાલિકા દ્વારા નવા બનનારા ઓડિટોરીયમને મહારાજા મહેન્દ્રસિંહજી ઓડિટોરીયમ નામ આપવાની માંગ મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ આચારવાના ગુનામાં બે આરોપીની ધરપકડ મોરબીમાં યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપીને વ્યાજની પઠાણી ઉઘરાણી કરવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ મોરબીમાં સમસ્ત હિન્દુ સેવા ગ્રુપ ગુજરાત દ્વારા સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં શીતળા માતાજીના મંદિરે દર્શન કરવા માટે દર્શનાર્થીઓ ઉમટ્યા


SHARE











મોરબીમાં શીતળા માતાજીના મંદિરે દર્શન કરવા માટે દર્શનાર્થીઓ ઉમટ્યા

દરવર્ષે મોરબીમાં મચ્છુ નદીના કાંઠે બિરાજતા શીતળા માતાજીના મંદિરે શીતળા સાતમ નિમિતે મેળો યોજાઈ છે ત્યારે બાળકોને દર્શન કરાવવા માટે મોરબી તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે જો કે આ વર્ષે પણ કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને મંદિરના પટાંગણમાં ભરતો મેળો રદ્દ કરવામાં આવ્યો છે અને ભક્તો માતાજીના દર્શન કરી શકે તેના માટેની વ્યવસ્થા શીતળા માતાજીના મંદિરના સંચાલકો દ્વારા કરવામાં આવી છે

શ્રાવણ મહિનો એટલે કે તહેવારનો મહિનો કહેવામાં આવે છે અને આજે શીતળા સાતમ હોવાથી ગામોગામ શીતળા માતાજીના મંદિરે લોકો પોતાના નાના બાળકોને લઈને દર્શન કરવા માટે જતા હોય છે તેવી જ રીતે મોરબીમાં વર્ષો પહેલા મચ્છુ નદીના કાઠે પ્રગટ થયેલા શીતળા માતાજીના મંદિર ખાતે મોરબી તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી લોકો આવતા હોય છે અને ખાસ કરીને નાના બાળકોને બોલવામાં કે પછી ચાલવામાં કોઈ તકલીફ હોય તો શીતળા માતાજીની માનતા રાખવાથી બાળકની તે તકલીફ દુર થાય છે જેથી માતા પિતા પોતાના સંતાનોને લઈને શીતળા માતાજીના દર્શન કરવા માટે આવે છે અને સાથે શ્રીફળ કુલેર સહિતની પ્રસાદી પણ લાવતા હોય છે જેથી મોરબીમાં શીતળા માતાજીના મંદિરે મેળા જેવો માહોલ હોય છે પરંતુ ગત વર્ષની જેમ આ વર્ષે પણ કોરોનાના લીધે મેળો રદ્દ કરવામાં આવ્યો છે દર્શન માટે નાના બાળકોને લઈને આવતા ભક્તો પણ સરકારની ગાઈડ લાઈન મુજબ માતાજીના દર્શન કરે તેના માટેની વ્યવસ્થા મંદિરમાં ઉભી કરવામાં આવી છે




Latest News