મોરબીની ગીતાંજલી વિધાલયમાં વિદ્યાર્થીઓ-વાલીઓ માટે ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ડો. હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા ચાલતા સીવણ કેન્દ્રમાં તાલીમ લીધેલ બહેનોને પ્રમાણપત્ર અપાયા મોરબીમાં અકસ્માતમાં મૃત્યુ પામેલ વ્યક્તિના પરિવારને ૧૦ લાખનો વીમો વ્યાજ સહિત ચૂકવવા ગ્રાહક અદાલતનો આદેશ મોરબીની પી.જી.પટેલ કોલેજમાં સંવિધાન હત્યા દિવસ અંતર્ગત વિદ્યાર્થીઓએ ડોક્યુમેન્ટરી ફિલ્મ નિહાળી મોરબી અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી રચના કરવા ધારાસભ્યએ કરેલી રજૂઆત ફળી મોરબી જીલ્લામાં મેલેરીયા વિરોધી માસની ઉજવણી અંતર્ગત સઘન સર્વેલન્સની કામગીરી કરાઈ મોરબી જિલ્લામાં 31 જુલાઇ સુધી હથિયારબંધી: 4 થી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં વિવિધ સ્થળોએ સીસીટીવી કેમેરા મૂકવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકાના સરતાનપર ગામે તળાવમાંથી પાણીચોરી રોકવાની માંગ


SHARE















વાંકાનેર તાલુકાના સરતાનપર ગામે તળાવમાંથી પાણીચોરી રોકવાની માંગ

હાલમાં વરસાદ ખેચાયો છે ત્યારે સ્થાનિક જળાશયોમાં પાણી છે તે જથ્થાને બચાવવામાં આવે તેની તાતી જરૂર છે ત્યારે વાંકાનેર તાલુકાના સરતાનપર ગામ પાસે આવેલ તળાવમાંથી ગેરકાયદે પાણીચોરી કરવામાં આવી રહી છે જેથી કરીને પાણીના ટેન્કરો ભરીને પાણી કારખાનામાં વેચાવામાં આવવી રહ્યું છે જેથી આ પાણી ચોરીને રોકવામાં આવે તેના માટે જીલ્લા કલેકટરને રજૂઆત કરવામાં આવી છે

વાંકાનેર તાલુકાનાં સરતાનપર ગામના રહેવાસીએ કલેકટરને લેખિત રજૂઆત કરી છે જેમાં તેને જણાવ્યું છે કે વરસાદ ચાલુ વર્ષે ખેંચાયો છે અને ગામમાં પાણીનો મુખ્ય સ્ત્રોત તળાવ છે જેમાથી દેવાભાઈ વિંજવાડિયા અને ચંદુભાઈ વિંજવાડિયા ગેરકાયદે પાણીચોરી કરી કોઈપણ મંજુરી કે અધિકાર વિના પાણીના ટેન્કરો ભરી કારખાનામાં પાણી વેચાણ કરી રહ્યા છે જેને રોકવા જતા ધમકીભર્યા જવાબો  આપવામાં આવે છે ત્યારે પાણીની તંગીને ધ્યાનમાં રાખીને પાણીચોરીને રોકવામાં આવે તેવી માંગ કરેલ છે વધુમાં તેઓએ લખ્યું છે કે, પાણી ચોરી કરનારા રાજકીય વગ વાળા છે અને ઝનૂની છે અગાઉ ગંભીર ગુન્હામાં પોલીસ ચોપડે ચડી ચુક્યા છે જેથી તેઓને પોલીસ કે કાયદાનો ડર નથી માટે તેને કાયદાનું ભાન કરાવવામાં આવે તેવી માંગ કરી છે અને જો આગામી  એક સપ્તાહમાં નક્કર કાર્યવાહી કરવામાં નહિ આવે તો ગ્રામજનો આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે.






Latest News