મોરબીની ગીતાંજલી વિધાલયમાં વિદ્યાર્થીઓ-વાલીઓ માટે ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ડો. હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા ચાલતા સીવણ કેન્દ્રમાં તાલીમ લીધેલ બહેનોને પ્રમાણપત્ર અપાયા મોરબીમાં અકસ્માતમાં મૃત્યુ પામેલ વ્યક્તિના પરિવારને ૧૦ લાખનો વીમો વ્યાજ સહિત ચૂકવવા ગ્રાહક અદાલતનો આદેશ મોરબીની પી.જી.પટેલ કોલેજમાં સંવિધાન હત્યા દિવસ અંતર્ગત વિદ્યાર્થીઓએ ડોક્યુમેન્ટરી ફિલ્મ નિહાળી મોરબી અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી રચના કરવા ધારાસભ્યએ કરેલી રજૂઆત ફળી મોરબી જીલ્લામાં મેલેરીયા વિરોધી માસની ઉજવણી અંતર્ગત સઘન સર્વેલન્સની કામગીરી કરાઈ મોરબી જિલ્લામાં 31 જુલાઇ સુધી હથિયારબંધી: 4 થી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં વિવિધ સ્થળોએ સીસીટીવી કેમેરા મૂકવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
Breaking news
Morbi Today

નર્મદાની માળીયા કેનાલમાં પાણીચોરી રોકી સીંચાઈનું પાણી આપવામાં ન આવે તો કાલથી આંદોલન


SHARE















નર્મદાની માળીયા કેનાલમાં પાણીચોરી રોકી સીંચાઈનું પાણી આપવામાં ન આવે તો કાલથી આંદોલન

મોરબી જીલ્લામાં નર્મદાની માળીયા કેનાલ આવે છે જો કે તેમાથી સિચાઈ માટેનું પાણી મળી રહ્યું નથી કેમ કે, ઉપરના ભાગમાં પાણીચોરી કરી લેવામાં આવે છે અને પાણીનો બગાડ કરવામાં આવી રહ્યો છે ત્યારે માળીયાના ખેડૂતોએ ગઇકાલે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું અને નર્મદા કેનાલમાં પાણીચોરી રોકીને સિચાઈનું પાણી આપવાની માંગ કરી છે અને જો પાણી નહિ મળે તો તા ૨૮ થી આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે

મોરબી જિલ્લામાં ચોમાસાની સીઝનમાં વરસાદ ખેંચાતા નર્મદાની કેનલ સિવાય સિચાઈ માટેની બીજી કોઈ વ્યવસ્થા નથી તેવા માળીયા તાલુકામાં ખેડૂતોના ઉભા પાક સુકાઇ રહ્યાં છે. ત્યારે નર્મદા કેનાલમાંથી સિચાઈ માટેનું પાણી આપવામાં આવે તેવી માંગ સાથે અગાઉ રજૂઆતો કરવામાં આવી છે જો કે, પાણી હજુ સુધી મળી રહ્યું નથી ત્યારે ખેડૂતો તેમજ આગેવાનોએ નર્મદાની માળીયા બ્રાન્ચમાં ઢાંકી સુધી તપાસ કરી હતી જેમાં મોટા પ્રમાણમા ધ્રાંગધ્રા તાલુકાના વિસ્તારમાં કેનાલમાંથી પાણીનો બગાડ કરવામાં આવતો હોવાની તેમજ પાણીચોરી કરવામાં આવતી હોવાની માહિતી સામે આવી હતી જેથી આ મુદે યોગ્ય કાર્યવાહી કરીને માળીયાના ખેડૂતોને પાણી પહોચડવા માટે ગઇકાલે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામા આવ્યું હતું જેમાં નિગમના અધિકારી એસ.આર. પટેલ ઉપર ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે અને નર્મદા કેનાલમાં પાણીચોરી રોકીને સિચાઈનું પાણી આપવાની માંગ કરી છે અને જો પાણી નહિ મળે તો તા ૨૮ થી જુના ઘાંટીલા ગામે ખીજળા હનમાનજી મંદિર પાસે ઉપવાસ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે






Latest News