મોરબીના કારખાનામાં ઊંચાઈ ઉપરથી પડતાં યુવાનના મોતના કેસમાં વધુ એકની ધરપકડ હળવદ નજીક ખોટી નંબર પ્લેટ લગાવેલ કારથી જીવલેણ અકસ્માત સર્જનાર આરોપીની બે અર્ટિકા કાર સાથે ધરપકડ મામાના ઘરે મૂકવા જવનું કહીને નરાધમ બાપ માસૂમ દીકરાને તરફડીને મરવા માટે છોડી ગયો: હળવદના સુસવાવ ગામની ઘટના ચોંકાવનારો ખુલાસો મોરબી ક્રાંતિકારી સેનાના નામ-લોગાનો દુરુપયોગ કર્યાની કરાઇ ફરિયાદ મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાએ હર્દય બંધ પડી ગયેલા દર્દીને નવજીવન આપ્યુ હળવદના સુસવાવ ગામ પાસે મરવા માટે સગા દીકરાને ત્યજી દેનારા નિર્દય બાપની સામે ગુનો નોંધાયો હળવદ નજીક જીવલેણ અકસ્માત સર્જનાર અર્ટિકા કારમાં ખોટી નંબર પ્લેટ લગાવી હોવાનો ધડાકો વાંકાનેરના મહિકા પાસે આઇસર ચાલકે બાઇકને હડફેટે લેતા અકસ્માત: ઇજા પામેલ પિતા-પુત્ર સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના રંગપર પાસે કારખાનામાં બનાવ : લોડર ફરી વળતાં બાળકનું મોત


SHARE













મોરબીના રંગપર પાસે કારખાનામાં બનાવ : લોડર ફરી વળતાં બાળકનું મોત

મોરબી જેતપર રોડ ઉપર રંગપર ગામની સીમમાં આવેલ કારખાનામાં ગોઝારો બનાવ બન્યો હતો જેમાં કારખાનાની અંદર રમી રહેલા બાળકે લોર્ડર ચાલકે હડફેટે લેતા બાળકના માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા બાળકનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.

વધુમાં મોરબી તાલુકા પોલીસ સુત્રો પાસેથી બનાવની જાણવા મળતી વિગતો મુજબ મોરબીના જેતપર રોડ ઉપર રંગપર ગામની સીમમાં આવેલા મોરલ સીરામીક નામના કારખાનાના લેબર કવાટરમાં રહેતા અને મૂળ મધ્યપ્રદેશના વતની ભાઈલાલભાઈ લાલસિંહભાઈ કનોજેનો ૧૧ વર્ષનો દીકરો કરણ ગઈકાલ રાત્રીના દશેક વાગ્યાના અરસામાં કારખાનામાં રમી રહ્યોં હતો તે દરમિયાન લોડર નંબર જીજે ૩૬ એસ ૨૮૨૮ ના ચાલક અનિરુદ્ધ ઉર્ફે અનીલ ડાયાલાલ ખોડીયા નામના ઈસમને કરણને અડફેટે લીધો હતો. આરોપી લોડર ચાલકે પૂર ઝડપે પોતાનું લોડર હંકારીને કરણને અડફેટે લેતા માથાના ભાગે ગંભીર ઇજાઓ સાથે કરણને દવાખાને લઈ જવાયો હતો જોકે ત્યાં તેને મૃત જાહેર કર્યો હતો અને બનાવ સંદર્ભે પોલીસને જાણ કરાતા હાલમાં મૃતક કરણના પિતા ભાઇલાલભાઈ કનોજે (૩૫) હાલ રહે.જેતપર રોડ ઉપર રંગપર ગામની સીમમાં મોરલ સીરામીક નામના કારખાનાના લેબર કવાટરમાં રહેતા અને મૂળ રહે. મધ્યપ્રદેશ એ લોડર ચાલક અનિરુદ્ધ ઉર્ફે અનીલ ડાયાલાલ ખોડીયા સામે મોરબી તાલુકા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી હોય બીટ જમાદાર એએસઆઇ આર.બી.વ્યાસે આગળની તપાસ હાથ ધરી છે.

ઝેરી દવા પીતા સારવારમાં


ટિંબડીના પાટીયા પાસે સિરામિક નજીક રહેતા કનૈયાભાઈ ખીમાભાઈ રાઠોડ નામના ૧૭ વર્ષીય યુવાને કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા સારવારમાં અહીની સદભાવના હોસ્પિટલ ખસેડાયો હતો બનાવને પગલે તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયાએ તપાસ હાથ ધરી છે.

અકસ્માતમાં ઈજા

મોરબીના હાજનાળી ગામના રહેવાસી સાહિલભાઈ મનસુખભાઇ ધંધુકિયા ૧૮ અને વેરશીભાઈ રાજેશભાઇ રૂદાતલા ૧૮ નામના બે યુવાનો ડબલ સવારી બાઈકમાં જતા હતા ત્યારે બરવાળા પાસે તેમનું બાઇક સ્લીપ થઇ જતાં બંને ઈજાગ્રસ્તોને અત્રે ક્રિષ્ના હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવ્યા હતા જ્યારે મોરબી તાલુકાના જેતપર ગામે મેલડી માતાના મંદિર પાસે થયેલ મારામારીના બનાવમાં ઇજાગ્રસ્ત થયેલ ભરત વલ્લભ ઉધરેજીયા નામના ૨૫ વર્ષના યુવાનને ઇજાઓ થતાં તેને જેતપરના પીએચસી ખાતે સારવાર લીધા બાદ વધુ સારવાર માટે મોરબી સિવિલ ખસેડાયો હતો






Latest News