મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

હવે પર્યાવરણ-દેશને થશે ફાયદો, મોરબી રેલ્વે સ્ટેશને આવ્યું પ્રથમ વખત ઇલેક્ટ્રિક રેલવે એન્જિન: અધિકારી


SHARE











હવે પર્યાવરણ-દેશને થશે ફાયદો, મોરબી રેલ્વે સ્ટેશને આવ્યું પ્રથમ વખત ઇલેક્ટ્રિક રેલવે એન્જિન: અધિકારી

મોરબી જીલ્લામાં રેલવેના ટ્રેક ઉપર ડીઝલ એન્જિન વાળી ગાડી તો છેલ્લા ઘણા વર્ષોથી દોડી રહી છે જો કે, ઇલેક્ટ્રિક રેલવે એન્જિન દોડાવવા માટે છેલ્લા ઘણા સમયથી કામ ચાલુ હતું અને તે કામ પૂરું થઈ ગયું છે ત્યારે ગઇકાલે રાતે બાર વાગ્યે મોરબીના રેલ્વે સ્ટેશને પ્રથમ વખત રેલ્વે ટ્રેક ઉપર ઇલેક્ટ્રિક રેલવે એન્જિન દોડાવીને નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને આ ઇલેક્ટ્રિક રેલવે એન્જિન હવે રેલ્વે ટ્રેક ઉપર દોડશે તેનાથી પર્યાવરણ અને દેશને ફાયદો થશે તેવું અધિકારી જણાવ્યુ છે

મોરબી જીલ્લામાં નવલખી બંદર સુધી અને માળીયા થઈને કચ્છ સુધી ઈલેક્ટ્રિક ટ્રેન દોડાવાનું લક્ષાંક નક્કી કરીને છેલ્લા ઘણા સમયથી રેલ્વે વિભાગ દ્વારા કામ કરવામાં આવી રહયું હતું દરમ્યાન સુરેન્દ્રનગરથી મોરબી સુધી રેલ્વે ટ્રેકનું કામ પૂરું થઈ ગયું છે જેથી કરીને તેના નિરીક્ષણ માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને ગઇકાલે શુક્રવારે રાતે બાર વાગ્યે સુરેન્દ્રનગર બાજુથી મોરબી ઇલેક્ટ્રિક રેલવે એન્જિન આવ્યું હતું અને હાલમાં ૧૧૦ની સ્પીડે આ ટ્રેન દોડાવવામાં આવી હતી આ તકે આરીના ઇન્ચાર્જ અજયભાઈ, લોકોના ઇન્ચાર્જ હિતેશભાઇ, સેફ્ટી એક્સપર્ટ એચ.એ.જુણેજા સહિતના અધિકારીઓ મોરબી રેલ્વે સ્ટેશને હાજર રહ્યા હતા અને ત્યારે અધિકારીઓએ જણાવ્યુ હતું કેપહેલા કોલસાની ટ્રેન ચાલતી હતી જેથી પર્યાવરણને નુકશાન થતું હતું ત્યાર બાદ રેલવેમાં ડીઝલ એન્જિનથી ગાડીઓ દોડાવવામાં આવી રહી છે જેના લીધે વિદેશથી ક્રૂડ મંગાવવામાં આવતા દેશનો રૂપિયો બહાર જતો હતો જો કે, ઇલેક્ટ્રિક રેલવે એન્જિનની મદદથી ટ્રેન દોડશે તેનાથી પર્યાવરણ અને દેશ બંનેને ફાયદો થશે તે નિશ્ચિત છે






Latest News