મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબી, વાંકાનેર અને હળવદમાં બે કેન્દ્રિય મંત્રીની હાજરીમાં યોજાશે ગુજરાત ગૌરવ યાત્રા-સભાઓ


SHARE











મોરબી, વાંકાનેર અને હળવદમાં બે કેન્દ્રિય મંત્રીની હાજરીમાં યોજાશે ગુજરાત ગૌરવ યાત્રા-સભાઓ

ગુજરાત ગૌરવ યાત્રા'નું સમગ્ર ગુજરાતમાં ભાજપ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે અને આ 'ગુજરાત ગૌરવ યાત્રા'નું પ્રસ્થાન દ્વારકાથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ ગઇકાલે પ્રારંભ કરાવ્યો હતો જે યાત્રા મોરબી જીલ્લામાં આવી રહી છે અને મોરબી, વાંકાનેર તેમજ હળવદમાં કેન્દ્રના બે મંત્રીની હાજરીમાં સભાઓ યોજવાની છે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ હવે ગમે ત્યારે જાહેર થઈ શકે તેમ છે ત્યારે રાજ્યમાં તમામ રાજકીય પક્ષો અલગ-અલગ રીતે મતદારોને રીઝવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ 'ગુજરાત ગૌરવ યાત્રા' શરૂ કરવી છે જે પડધરી તાલુકામાંથી મોરબી જીલ્લામાં આવશે અને ટંકારા, લજાઈ, વાંકાનેર, ઢુવા, મકનસર, લીલપર, રવાપર, મોરબી, મહેન્દ્રનગર, ચરાડવા અને હળવદ સુધી આ 'ગુજરાત ગૌરવ યાત્રા' જવાની છે ત્યારે આ યાત્રા માટે મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા તેમજ મહામંત્રી જયુભાઈ જાડેજા સહિતની ટિમ દ્વારા જાહેમત ઉઠાવવામાં આવી રહી છે

મોરબી શહેરમાં 'ગુજરાત ગૌરવ યાત્રા' આવશે તેના ભવ્ય સ્વાગત માટે મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઇ જારીયા, મહામંત્રી ભાવેશભાઈ કંઝારીયા અને રિશીપભાઈ કૈલા સહિતની ટિમ જહેમત ઉઠાવી રહી છે વધુમાં જાણવા મળતી માહિતી મુજબ કાલે મોરબીમાં રવાપર રોડ, ગાંધીચોક, નહેરૂ ગેઇટ ચોક થઈને યાત્રા સામાકાંઠે જવાની છે અને ત્યારે નહેરૂ ગેઇટ ચોકમાં કેન્દ્રિય મંત્રી મનસુખભાઇ માંડવિયા અને પિયુષ ગોયેલ હાજર રહેવાના છે અને તેની હાજરીમાં મોરબી, વાંકાનેર અને હળવદમાં સભાઓ પણ યોજવાની છે જેમાં મોરબી ખાતે સાંજે ચાર વાગ્યે નહેરૂ ગેઇટ ચોકમાં સભા યોજાશે






Latest News