મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના જોધપર ઝાલા ગામે શોર્ટ લાગતા વૃદ્ધ અને ટીકર ગામે શોર્ટ લાગતા યુવાનનું મોત હળવદના કાવડિયા અને ટંકારાના છતર ગામે જુગારની 3 રેડમાં 16 શખ્સો પકડાયા મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ
Breaking news
Morbi Today

વાંકાનેર આમ આદમી પાર્ટી સંગઠન માળખાંની મીટીંગ યોજાઈ


SHARE







વાંકાનેર આમ આદમી પાર્ટી સંગઠન માળખાંની મીટીંગ યોજાઈ

વાંકાનેર ખાતે આવેલ શીવ શક્તિ હોટેલમાં આમ આદમી પાર્ટીની આગામી ચૂંટણીને અનુલક્ષીને અગત્યની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ તકે વાંકાનેર વિધાનસભાના ઉમેદવાર વિક્રમભાઇ સોરાણી તથા સૌરાષ્ટ્ર ઝોનના અગ્રણી ઇન્દ્રનિલ રાજ્યગુરુ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અને આગામી દિવસોમાં ગેરંટી કાર્ડને ઘર ઘર સુધી પહોંચાડવા કાર્યકરોને હાકલ કરવામાં આવી હતી ત્યાર બાદ ઇન્દ્રનિલ રાજ્યગુરુએ જણાવ્યું હતું કે ગુજરાતમાં શીક્ષણ, આરોગ્ય અને ભ્રષ્ટાચાર મુદ્દે કડક વલણ અપનાવી લોકોને પ્રાથમિક સવલતો સરળતાથી મળી રહે તેવી આમ આદમી પાર્ટીની નેમ છે જ્યારે વાંકાનેર વિધાનસભા ઉમેદવાર વિક્રમભાઇ સોરાણીએ જણાવ્યું હતું કે વાંકાનેરના પ્રવાસ દરમિયાન લોકોના પ્રશ્ર મળી રહ્યા છે જેને પ્રાથમિકતા આપીને વહેલી તકે પુર્ણ થાય તેવા પ્રયાસો તેઓ દ્વારા કરવામાં આવશે આ તકે ઉસ્માન ગની સેરસીયાઅર્જુનસીહ વાળાઆરીફ બલોચનજરુદીન બાદીઈર્શાદ મહિકાસાહેરાબેન કડીવારયાકુબ માથકિયા સહીતના બહોળી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા






Latest News