મોરબી જીલ્લામાં પેટ્રોલ-ડીઝલના જથ્થા બાબતે સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહેવા કલેકટરની લોકોને અપીલ માળીયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે 52 આગેવાનોએ સેન્સ આપી મોરબી શહેર-જીલ્લામાં વાહન ચાલકોએ પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો લગાવી, પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી-વિનોદભાઇ ડાભી ગુજરાત બાર કાઉન્સીલમાં સતત ચોથી વાર ચૂંટાયેલા દિલીપભાઇ પટેલનું મોરબીમાં વાજતે ગાજતે સ્વાગત કરાયું મોરબી સહિત ગુજરાતમાં વાવાઝોડું-કમોસમી વરસાદથી થયેલ નુકશાન સામે વળતર આપવા આપના આગેવાનની મુખ્યમંત્રીને રજૂઆત મોરબીમાં મહાપાલિકા દ્વારા નવા બનનારા ઓડિટોરીયમને મહારાજા મહેન્દ્રસિંહજી ઓડિટોરીયમ નામ આપવાની માંગ મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

માળીયા(મી)નાં પિપળીયા ચાર રસ્તા પાસે આવેલ ઝેરી ધુમાડા ઓકતા કારખાનને બંધ કરવા મામલતદારને રજૂઆત


SHARE











માળીયા(મી)નાં પિપળીયા ચાર રસ્તા પાસે આવેલ ઝેરી ધુમાડા ઓકતા કારખાનને બંધ કરવા મામલતદારને રજૂઆત

માળીયા તાલુકાનાં પિપળીયા ચાર રસ્તાથી સરવડ ગામ વચ્ચે આવેલા કારખાનામાં પ્લાસ્ટીક તથા વાહનોના ટાયર ઓગાળવાનો તથા નવા ટાયરો બનાવવાની કામગીરી કરવામાં આવે છે જેથી કરીને તેમાથી ઝેરી ધુમાડાઓ સતત ઉડતા હોય છે જે લોકોને તેમજ ખેતીના પાકને નુકશાની કરે છે જેથી કરીને આ કારખાનામાં ફેરફાર કરવામાં આવે અથવા તો તેને સીલ કરવામાં આવે તેવી માંગ સરદારનગર આગેવાન દ્વારા કરવામાં આવી છે અને આ મુદે માળીયાના મામલતદારને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે

માળીયા તાલુકાનાં સરદારનગર (સરવડ) ગામે રહેતા કૌશિકકુમાર એસ. લોદરીયાએ માળીયાના મામલતદારને લેખિતમાં રજૂઆત કરીને વાતાવરણ પ્રદુષણ કરતી ફેકટરીનો પ્લાન્ટમાં ફે૨ફાર કરાવવા અથવા સંપુર્ણ સીલ કરવાની માંગ કરેલ છે તેમણે કરેલી રજૂઆતમાં જણાવ્યુ છે કે, માળીયા-જામનગ૨ હાઈવેની મધ્યમાં પિપળીયા ચાર રસ્તા અને સરવડ ગામનું લોકેશન આવે છે ત્યાં બોસ રબ્બર નામની ફેકટરી આવેલી છે જેમાં પ્લાસ્ટીક તથા વાહનોના ટાયર ઓગાળવાનો તથા નવા ટાયરો બનાવવાની કામગીરી કરવામાં આવે છે જેથી ઝેરી ધુમાડાઓ સતત ઉડતા હોય છે માટે વાહન ચાલકો સહિતનાને ગુંગળામણનો અનુભવ થાય છે પરંતુ કાયમી વસવાટ કરતાં લોકોને ભારે મુશકેલીનો સામનો કરવા પડી રહ્યો છે જેમાં પિપળીયા, સરવડ, ચાંચાવદરડા, તરઘરી, મહેન્દ્રગઢ, મોટાભેલા વગેરે ગામડાઓ આવે છે તે લોકોની હાલત શું થતી હશે તે પ્રશ્ન છે આ ધુમાડાથી શ્વાસોશ્વાસની ક્રિયા વખતે ગુંગળામણ અનુભવતા હોય છે અને બિમાર લોકો, પ્રેગનન્ટ મહીલાઓ, બાળકો સહિતના લોકોને હેરાન થવું પડે છે ત્યારે પીપળીયા ગામે કારખાનાની નજીકમાં જ આઈ.ટી.આઈ કેન્દ્ર શરૂ કરવામાં આવેલ છે ત્યા અભ્યાસ અર્થે આવતા બાળકોની શુ હાલત થતી હશે ? ખેડૂતોના ખેતીના પાકને કેટલું નુકશાન થતું હશે ? આવા અનેક સવાલો છે ત્યારે સતત પ્રદૂષણ ઓકતા કારખાનામાં ફેરફાર કરવામાં આવે અથવા તો તેને સીલ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે




Latest News