હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં આજે જૈન જાગૃતિ લેડીઝ વિંગ અને કાલે વૃંદાવન દાંડિયા દ્વારા વેલકમ નવરાત્રીનું આયોજન


SHARE











મોરબીમાં આજે જૈન જાગૃતિ લેડીઝ વિંગ અને કાલે વૃંદાવન દાંડિયા દ્વારા વેલકમ નવરાત્રીનું આયોજન

મોરબીમાં જૈન જાગૃતિ સેન્ટર લેડીઝ વિંગ દ્વારા તા ૨૪ સપ્ટેમ્બરના રોજ બપોરે ૩ કલાકથી નવા ડેલા રોડ પર આવેલી વિશાશ્રી માળી વણિક જ્ઞાતિની વાડી ખાતે વેલકમ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે. તેવી જ રીતે વૃંદાવન દાંડિયા દ્વારા વેલકમ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે

મોરબીમાં દર વર્ષે જૈન જાગૃતિ સેન્ટર લેડીઝ વિંગ દ્વારા સમસ્ત જૈન સમાજના બહેનો માટે વેલકમ નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ વેલકમ નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આશિષભાઈ મણિયારનાસુરે મહિલાઓ સહિતના રસની રમઝટ બોલાવશે. અને આ તકે સહભાગી થનાર ખેલૈયાઓને સોના ચાંદીના ઇનામો પણ આપવામાં આવશે તેવું આયોજકોએ જણાવ્યુ છે

તો વૃંદાવન દાંડિયા કલાસિસ વાળા અમીષબેન રાંચ્છ અને રાહુલભાઈ કાવડિયા દ્વારા તા ૨૫ ના રોજ  રાતે આઠ કલાકથી લીલપર કેનાલ રોડ ઉપર કેશવ પાર્ટી પ્લોટ ખાતે વેલકમ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ચોફ ગેસ્ટ તરીકે માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા હાજર રહેવાના છે

ગૌશાળાના લાભાર્થે

મોરબીના નાની વાવડી ગામે આવેલ માધવ અંધ-અપંગ ગૌશાળાના લાભાર્થે તા ૨૪ સપ્ટેમ્બરના રોજ રાત્રે ૯:૩૦ કલાકેથી દેવ ફન વર્લ્ડની બાજુમાં વેલકમ નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ઈલાબેન મકવાણા, રવિરાજ ગજ્જર, ધારા ગોહિલ સહિતના સૂર રેલવશે અને ખેલૈયાઓ રમઝટ બોલાવશે આ આયોજનને સફળ બનાવવા ગામના યુવાનો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે અને આ કાર્યક્રમમાં એન્ટ્રી પાસ આધારે જ પ્રવેશ આપવામાં આવશે તેવું આયોજકોએ જણાવ્યુ છે






Latest News