મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીમાં બેન્કનું એટીએમ તોડીને ચોરી કરવાનો પ્રયાસ કરનારા આરોપીની ધરપકડ


SHARE











મોરબીમાં બેન્કનું એટીએમ તોડીને ચોરી કરવાનો પ્રયાસ કરનારા આરોપીની ધરપકડ

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ એક્સિસ બેન્કના એટીએમને તોડીને રોકડ રકમની ચોરી કરવાનો એક શખ્સ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો જોકે રૂપિયાની ચોરી તે શખ્સ કરી શક્યો ન હતો પરંતુ હાલમાં એટીએમ મશીનને તોડનારા શખ્સની સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરેલ છે

રાજકોટના જામનગર રોડ ઉપર આવેલ ભૂમેશ્વરી વાડી મેઇન રોડ ઉપર રેલવે ફાટક પાસે રહેતા ધવલભાઇ વિનોદભાઈ સાપરિયા જાતે પટેલ (૩૫) એ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતા મિલન જાદવ નામના શખ્સની સામે ફરિયાદ નોંધાવેલ હતી કે, તા. ૧૯ ના રોજ વહેલી સવારે ત્રણેક વાગ્યાના અરસામાં મોરબીના રવાપર રોડ ઉપર આવેલ સેલ કંપનીના પેટ્રોલ પંપની સામેના ભાગમાં એક્સિસ બેન્કના એટીએમને તોડવાનો પ્રયાસ આ શખ્સ દ્વારા કરવામાં આવ્યો હતો અને તેની પાસેથી હથોડી, ટાંકણી, છરી જેવા હથિયારો મળી આવ્યા હતા આ શખ્સ દ્વારા એટીએમ મશીનને તોડવામાં આવ્યું હતું જોકે તેમાં રાખેલ રોકડ રકમની ચોરી તે કરી શક્યો ન હતો અને હાલમાં ધવલભાઇએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધાવેલ ફરિયાદ આધારે આ ગુનામાં સીસીટીવી ફૂટેજો સહિતના પુરાવાઓને ધ્યાને લઈને પીઆઇ એમ.આર.પંડ્યાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ આર.પી.રાણા સહિતના સ્ટાફે મિલન પોપટભાઇ જાદવ (૨૮) રહે. કાલિકા પ્લોટ શેરી નંબર-૪ રવાપર રોડ મોરબી વાળાની ધરપકડ કરીને રિમાન્ડ મેળવવા તજવીજ શરૂ કરેલ છે.

યુવાનનો આપઘાત

મોરબીના સામાકાંઠે ઉમા ટાઉનશીપ સામે વેજીટેબલ રોડ ઉપર ભીમસરમાં રહેતા નાનજીભાઈ છનાભાઇ ચૌહાણ જાતે ભીલ નામના ૩૮ વર્ષીય યુવાનની શ્વાસની બીમારીની તેમજ માનસિક બીમારીની દવા ચાલુ હોય બીમારીઓથી કંટાળી જઈ તેણે ઘરે સાડી વડે ગળેફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેનું મોત નિપજયુ હતું.બનાવને પગલે બી ડિવિઝન પોલીસ મથકના પ્રફુલભાઈ પરમાર દ્વારા તપાસ કરવામાં આવી હતી.જ્યારે સુરેન્દ્રનગરના ધાંગધ્રા તાલુકાના જસમતપુર ગામે રહેતા રતનબેન ખુશાલભાઈ મોડીયા નામના ૭૦ વર્ષીય વૃદ્ધા બાઈકમાં બેસીને જતા હતા ત્યારે કંકાવટી ગામે સબ ડિવિઝન નજીક તેઓ બાઈકમાંથી નીચે પડી જતા તેમને અત્રેની શિવમ હોસ્પિટલ ખાતે સારવારમાં લાવવામાં આવ્યા હતા.






Latest News