મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીનું તંત્ર ૩૬૫ દિવસ હાલમાં કરી તેવી કામગીરી કરે તો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષને આવવું ન પડે: કે.ડી. બાવરવા


SHARE











મોરબીનું તંત્ર ૩૬૫ દિવસ હાલમાં કરી તેવી કામગીરી કરે તો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષને આવવું ન પડે: કે.ડી. બાવરવા

મોરબીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા આવ્યા તે મોરબીના લોકોના અહોભાગ્ય કહેવાય કારણ કે નડ્ડાની મુલાકાતના કારણે તંત્ર દ્વારા ૨૪ કલાકના ટુકા સમયમાં રોડ રસ્તાના ખાડા રીપેર કરી રસ્તો સારો બનાવવામાં આવ્યા હતા, ગટરો સફાઈ અને રોડ રસ્તાની સફાઈ કરવામાં આવી હતી અને પોતાની કામ કરવાની ક્ષમતાનો લોકોને પરિચય આપ્યો હતો જો કે આવી કામગીરી ૩૬૫ દિવસ અને ૨૪ કલાક મોરબીના લોકો કે જે પાલિકામાં અને સરકારમાં ખૂબ જ મોટો ટેક્સ આપે છે તેના માટે કેમ કરવામાં આવતી નથી તેવો સવાલ ઈન્ટર નેશનલ હુમાન રાઈટ સૌરાષ્ટ્રના જનરલ સેક્રેટરી કાંતિલાલ ડી. બાવરવાએ કરેલ છે

વધુમાં તેઓએ જણાવ્યુ છે કે, જો જે.પી.નડ્ડા દર મહીને મોરબીની મુલાકાતે આવે તો દર વખતે જુદા જુદા રોડ ઉપર રોડ શો રાખવામા આવે તો મોરબીના લોકોના ઘણા વધ પ્રશ્નો કે જે વર્ષોથી ઉકેલતા નથી તે ઉકેલાઈ જાય તેમ છે જેથી કરીને વારંવાર મોરબીની મુલાકાત કરવામાં આવે તેવી માંગ કરી છે સાથોસાથ જે તંત્ર ૨૪ કલાકમાં નેતાના આગમન પહેલા રોડ બનાવી શકે છે અને રૂડું રૂડું બતાવવા માટે કામ કરે છે તેવી જ કામગીરી કાયમી ધોરણે કરવામાં આવે તો કદાચ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષને ચૂંટણી પહેલા મોરબીની મુલાકાતે આવ્યું પડ્યું ન હોત તે પણ હકકીત  છે અને હાલમાં જે ક્ષમતા સાથે કામ કરવામાં આવ્યું છે તે ક્ષમતા મુજબ જો વર્ષના ૧૦૦ દિવસ પણ કામ કરવામાં આવે તો મોરબીને ફરીથી સોંરાષ્ટ્ર નું પેરીસ બનતા કોઈ રોકી શકે નહીં તે નિશ્ચિત છે અંતમાં હાલમાં જે તાબડતોબ રસ્ત બનેલ છે તેના માટે તેઓએ કહ્યું છે કે, હવે આ રોડ તુટશે નહી તેવી આશા છે જો કે, એક વરસાદમાં પાછો આવી તો હાલમાં કરવામાં આવેલ કામગીરીની ગુણવતા ચેક થઈ જાય તેમ છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી






Latest News