મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

માળીયા (મી)ના મોટા ભેલા ગામે શંકર ભગવાનની મુર્તિ ખંડિત કરનાર શખ્સની ધરપકડ


SHARE











માળીયા (મી)ના મોટા ભેલા ગામે શંકર ભગવાનની મુર્તિ ખંડિત કરનાર શખ્સની ધરપકડ

માળીયા તાલુકાના મોટાભેલા ગામે આવેલ સ્મશાનમાં મૂકવામાં આવેલ શંકર ભગવાનની મૂર્તિને ગામના જ આ એક શખ્સ દ્વારા ખંડિત કરવામાં આવી હતી જેથી કરીને ભગવાનની મૂર્તિને ખંડિત કરનારા શખ્સની સામે માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધીને આરોપીને ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

જાણવા મળતી વિગત પ્રમાણે માળિયા મીયાણા તાલુકાના મોટાભેલા ગામે નવા પ્લોટ વિસ્તારમાં રહેતા હસમુખભાઈ રવજીભાઈ શેરસીયા જાતે પટેલ (ઉમર ૫૦)એ માળીયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ભરતભાઈ જીવણભાઈ સોમાણી રહે. મોટાભેલા વાળાની સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે તેઓના દાદાએ મોટાભેલા ગામના સ્મશાનમાં શંકર ભગવાનની મૂર્તિને મુકાવી હતી અને તે મૂર્તિને આરોપી ભરતભાઈ સોમાણી દ્વારા ખંડિત કરવામાં આવી હતી જેથી કરીને ફરિયાદી હસમુખભાઈ તથા ગ્રામજનોની લાગણી દુબઈ હોય તેઓએ માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ભરતભાઈ સોમાણી સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ નં. ૨૯૫ મુજબ ગુનો નોંધીને આરોપી ભરતભાઈ જીવણભાઈ સોમાણી ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે. #morbitoday






Latest News