મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

વાંકાનેરની ગાત્રારાળનગર શાળાના નિવૃત્તિ શિક્ષીકાનો વિદાય સમારોહ યોજાયો: નિવૃતિ પછી કરી સેવાની જાહેરાત


SHARE











વાંકાનેરની ગાત્રારાળનગર શાળાના નિવૃત્તિ શિક્ષીકાનો વિદાય સમારોહ યોજાયો: નિવૃતિ પછી કરી સેવાની જાહેરાત

મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકામાં આવેલા સિંધાવદર ગામે ગાત્રાળનગરમાં આવેલી પ્રાથમિક શાળાના શિક્ષિકા કનકલતાબેન ગોસ્વામી વય મર્યાદાને લીધે નિવૃત્ત થતા તેમનો વિદાય સમારોહની સાથે શાળા ટિવીંનીંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમ સિંધાવદરના સામાજિક અને રાજકીય આદેવાન યુસુફભાઈ શેરસીયા, પૂર્વ સરપંચ ઇસ્માઈલભાઈ પરાસરા, એસએમસીના અધ્યક્ષ અને ગ્રામ પંચાયત સભ્ય સહીતનાઓ હાજર રહ્યા હતા.કાર્યક્રમમાં નિવૃત્ત થતા કનકલતાબેનનું સન્માન કરી ભેટ આપીને નિવૃત જીવન સુખમય અને તંદુરસ્તી સાથે વિતે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. સાથોસાથ ગત્રારાળનગર શાળાના પૂર્વ શિક્ષક રજાકભાઈને તાજેતરમાં બેસ્ટ શિક્ષકનો એવોર્ડ મળેલ હોય તે બદલ તેમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે વિદાય લેતા કનકલતાબેન ગોસ્વામીએ તમામ શિક્ષકો અને આગેવાનો આભાર વ્યક્ત કરીને કહ્યું હતું કે શાળામાં મેં પાંચ વર્ષ સુધી પગાર લઈને નોકરી કરી છે, પરંતુ હવે નિવૃત્તિ બાદ છ મહિના સુધી હું ફ્રી સેવા આપીશ.તેવી જાહેરાત કરી હતી.આ જાહેરાતને હાજર રહેલ તમામ લોકોએ વધાવી લીધી હતી






Latest News