સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

મોરબીમાથી બે દિવસથી ગુમ થયેલા યુવાનની મચ્છુ નદીમાથી કોહવાયેલી લાશ મળી


SHARE











મોરબીમાથી બે દિવસથી ગુમ થયેલા યુવાનની મચ્છુ નદીમાથી કોહવાયેલી લાશ મળી

મોરબીના વાવડી રોડ ઉપર મીરાપાર્ક શેરી નંબર-૨ માં મહેશ પાન વાળી શેરીમાં રહેતો યુવાન ગુમ થયો હતો જેની લાશ મોરબીની મચ્છુ નદીમાથી મળી આવી છે અને કોઈ કારણોસર તેને આપઘાત કર્યો છે જેથી તેની બોડીને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ લઈ જવામાં આવી છે અને મોરબી તાલુકા પોલીસે હાલમાં બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

જાણવા મળતી વિગતો મુજબ મોરબીના વાવડી રોડ મીરાપાર્ક શેરી નંબર-૨ માં રહેતા દિનેશભાઇ જીવરાજભાઈ ધોળકિયા પ્રજાપતિ કુંભાર નામનો ૪૨ વર્ષીય યુવાન ગત તા.૧૮-૮ ના રોજ સવારે સાતેક વાગ્યે નોકરીએ જવા માટે રંગપર ગામની સીમમાં આવેલ એલવી ગ્રેનાઇટોમાં ગયા હતા અને ત્યાંથી તેઓ ઘરે આવવા માટે બાઈક લઈને નીકળયા હતા દરમિયાન રસ્તામાં તેઓ ગુમ થઈ ગયા હતા અને છેલ્લા બે દિવસથી તેઓ ઘરે પરત આવ્યા ન હતા માટે તેમના પત્ની શિલ્પાબેન દિનેશભાઈ ધોળકીયાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશને તેમના પતિ દિનેશભાઈ ગુમ થયા હોવા અંગેની જાણ કરી હતી માટે મોરબી તાલુકા પોલીસે તપાસ શરૂ કરી હતી તેવામાં મોરબી તાલુકા પોલીસ મથકના એમ.એલ.બારૈયા પાસેથી મળતી માહિતી મુજબ મચ્છી નદીમાથી દિનેશભાઈની કહોવાય ગયેલી હાલતમાં લાશ મળી આવી છે જેથી કરીને તેની બોડીને ફોરેન્સિક માટે રાજકોટ ખસેડવામાં આવેલ છે જો કે કોઈ કારણોસર તેને આપઘાત કર્યો છે તે બાબતે પોલીસે તપાસ હાથ ધરી છે 






Latest News