હળવદના ચરડવા ગામે ટ્રાવેલ્સની ઓફિસમાં અને માલણીયાદ ગામે જુગારની રેડ: 6 શખ્સ 90,800 ની રોકડ સાથે ઝડપાયા મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા વડીલો, માતા-બહેનો અને યુવાનોને કાનો ફિલ્મ નિશુલ્ક દર્શાવવામાં આવી જો પૂરતા વળતરનો પરિપત્ર નહિ તો ભાજપ પક્ષને પ્રવેશબંધી: મોરબી જિલ્લાના જુદાજુદા 40 ગામોમાં લાગ્યા બેનર મોરબીમાં રેંજની રેડ બાદ એક પોલીસ કર્મચારી સસ્પેન્ડ અને બે પોલીસ કર્મચારીની ભુજ ખાતે બદલી વિશ્વ હિન્દુ પરિષદ-દુર્ગાવાહિની-માતૃશક્તિ મોરબી જિલ્લા દ્વારા જયા પાર્વતી વ્રત જાગરણ નિમિત્તે રાસ-ગરબા અને ભારતીય સ્પર્ધાત્મક રમતોનું આયોજન સેવા સમર્પણ, લક્ષ્ય નિરામય; મોરબી જિલ્લાના વેજલપર આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી અને માળિયા વિસ્તારમાં ભારે વરસાદ દરમિયાન દેવ વેટલેન્ડ એન્ડ સોશિયલ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા રાહત સહાય મોરબી જિલ્લામાં ૩૧ ઓગષ્ટ સુધી સ્પા, હથિયારબંધી, સભા-સરઘસ, કર્મચારીઓ, ભાડુઆત તથા ખેત શ્રમિકો અંગે જાહેરનામું બહાર પડાયું
Breaking news
Morbi Today

મોરબીમાથી બે દિવસથી ગુમ થયેલા યુવાનની મચ્છુ નદીમાથી કોહવાયેલી લાશ મળી


SHARE







મોરબીમાથી બે દિવસથી ગુમ થયેલા યુવાનની મચ્છુ નદીમાથી કોહવાયેલી લાશ મળી

મોરબીના વાવડી રોડ ઉપર મીરાપાર્ક શેરી નંબર-૨ માં મહેશ પાન વાળી શેરીમાં રહેતો યુવાન ગુમ થયો હતો જેની લાશ મોરબીની મચ્છુ નદીમાથી મળી આવી છે અને કોઈ કારણોસર તેને આપઘાત કર્યો છે જેથી તેની બોડીને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ લઈ જવામાં આવી છે અને મોરબી તાલુકા પોલીસે હાલમાં બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

જાણવા મળતી વિગતો મુજબ મોરબીના વાવડી રોડ મીરાપાર્ક શેરી નંબર-૨ માં રહેતા દિનેશભાઇ જીવરાજભાઈ ધોળકિયા પ્રજાપતિ કુંભાર નામનો ૪૨ વર્ષીય યુવાન ગત તા.૧૮-૮ ના રોજ સવારે સાતેક વાગ્યે નોકરીએ જવા માટે રંગપર ગામની સીમમાં આવેલ એલવી ગ્રેનાઇટોમાં ગયા હતા અને ત્યાંથી તેઓ ઘરે આવવા માટે બાઈક લઈને નીકળયા હતા દરમિયાન રસ્તામાં તેઓ ગુમ થઈ ગયા હતા અને છેલ્લા બે દિવસથી તેઓ ઘરે પરત આવ્યા ન હતા માટે તેમના પત્ની શિલ્પાબેન દિનેશભાઈ ધોળકીયાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશને તેમના પતિ દિનેશભાઈ ગુમ થયા હોવા અંગેની જાણ કરી હતી માટે મોરબી તાલુકા પોલીસે તપાસ શરૂ કરી હતી તેવામાં મોરબી તાલુકા પોલીસ મથકના એમ.એલ.બારૈયા પાસેથી મળતી માહિતી મુજબ મચ્છી નદીમાથી દિનેશભાઈની કહોવાય ગયેલી હાલતમાં લાશ મળી આવી છે જેથી કરીને તેની બોડીને ફોરેન્સિક માટે રાજકોટ ખસેડવામાં આવેલ છે જો કે કોઈ કારણોસર તેને આપઘાત કર્યો છે તે બાબતે પોલીસે તપાસ હાથ ધરી છે 






Latest News