હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેરના માટેલમાં મંદિરની બાજુમાં લઘુશંકા કરવા ગયેલા યુવાન ઉપર છરી વડે હુમલો: બે સામે નોંધાયો ગુનો


SHARE











વાંકાનેરના માટેલમાં મંદિરની બાજુમાં લઘુશંકા કરવા ગયેલા યુવાન ઉપર છરી વડે હુમલો: બે સામે નોંધાયો ગુનો

વાંકાનેર તાલુકાના માટેલ ગામે આવેલ દશામાના મંદિરની બાજુમાં લઘુશંકા કરવા માટે ગયેલા યુવાનને અહીં કેમ લઘુશંકા કરવા આવે છે તેવું કહીને બે શખ્સોએ ગાળો આપીને માર માર્યો હતો અને ત્યારે તે બે પૈકીના એક શખ્સે છરી વડે યુવાનને પગ અને ગળાના ભાગે ઈજા કરી હતી જેથી કરીને ઇજાગ્રસ્ત યુવાનને સારવારમાં લાવ્યા હતા અને બાદમાં યુવાને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેર તાલુકાના માટેલ ગામે રહેતા લાલજીભાઈ ટીસાભાઇ સરાવાડીયા જાતે કોળી (ઉંમર ૨૩) એ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સુરેશ સાદુરભાઈ વિજવાડીયા અને વિપુલ ધીરાભાઈ રહે. બંને માટેલ વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, માટેલ ગામે આવેલ દશામાના મંદિર પાસે સાઈડમાં તે લઘુશંકા કરવા માટે ગયો હતો ત્યારે આરોપીઓએ તેની પાસે આવીને અહીં કેમ લઘુશંકા કરે છે તેવું કહીને બંને શખ્સોએ તેને ગાળો આપી હતી અને માર માર્યો હતો ત્યારે વિપુલ ધીરાભાઈએ છરી વડે હુમલો કર્યો હતો અને ફરિયાદીને પગ અને ગળાના ભાગે છરી વડે ઇજા કરી હતી જેથી કરીને ઈજાગ્રસ્ત લાલજીભાઈને સારવારમાં લઈ ગયા હતા અને સારવાર લીધા બાદ તેણે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બંને શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

અકસ્માતમાં ઇજા

મોરબીના પંચાસર રોડ ઉપર મામાદેવના મંદિર પાસેથી બાઈક નંબર જીજે ૩૬ એડી ૩૧૩૧ લઈને ઋત્વિકભાઈ તરશીભાઈ ઘોડાસરા જાતે પટેલ (ઉંમર ૨૨૦ રહે. ખાનપર વાળો પસાર થતો હતો ત્યારે તેને અજાણ્યા ડમ્પર ચાલકે પાછળથી બાઇકને ઠોકર મારી હતી જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ઋત્વિકને પગના ઢીંચણના ભાગે તથા ડાબી આંખ અને નાક પાસે ઈજાઓ થઈ હતી જેથી તેને સારવારમાં ખસેડાયો હતો અને અકસ્માત સર્જીને ડમ્પર ચાલાક પોતાનું વાહન લઈને સ્થળ ઉપરથી નાસી ગયો હતો જેથી કરીને યુવાને એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે તેના આધારે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે






Latest News