મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના લોકોની જનસુખાકારી માટે વિવિધ ખાતમુહૂર્ત-લોકાર્પણ કરવા માટે તૈયારીઓ શરૂ


SHARE











મોરબી જિલ્લાના લોકોની જનસુખાકારી માટે વિવિધ ખાતમુહૂર્ત-લોકાર્પણ કરવા માટે તૈયારીઓ શરૂ

આગામી તારીખ ૧૨ ના રોજ વર્તમાન સરકારના એક વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે જિલ્લામાં થનાર સુખાકારીના વિવિધ લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમના આયોજન માટે પૂર્વ તૈયારીના ભાગરૂપે બેઠકનું આયોજન જિલ્લા કલેક્ટર જે.બી. પટેલના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે કરવામાં આવ્યું હતું.

આ બેઠકમાં કલેક્ટરએ વિવિધ વિભાગોને જે તે વિભાગ અંતર્ગત થનાર ખાતમુહૂર્ત તથા લોકાર્પણ બાબતે યોગ્ય વ્યવસ્થા કરવા જણાવ્યું હતું. વધુમાં જિલ્લા કક્ષાના તથા તાલુકા કક્ષાના કાર્યક્રમ અન્વયે પણ યોગ્ય આયોજન કરવા સંબંધિતોની સૂચના આપી હતી. ઉલ્લેખનીય છે કે, ૧૨ સપ્ટેમ્બરના રોજ વર્તમાન રાજ્ય સરકારને ૧ વર્ષ પૂર્ણ થાય છે ત્યારે રાજ્યમાં વિવિધ જનસુખાકારીના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ થનાર છે. જે  અન્વયે ૧૨ તથા ૧૩ સપ્ટેમ્બરના રોજ મોરબી જિલ્લામાં પણ જનસુખાકારીના ૨૦૦ થી વધુ વિકાસકામોના ખાતમુહૂર્ત-લોકાર્પણ થનાર છે. જેથી આગામી સમયમાં મોરબી જિલ્લાને અનેક જન કલ્યાણના પ્રકલ્પોની ભેટ મળનાર છે. આ બેઠકમાં ડીડીઓ પરાગ ભગદેવ, આરએસી એન. કે. મુછાર સહિતના અધિકારીઓએ હાજર રહ્યા હતા






Latest News