મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબી-માળીયા આમ આદમી પાર્ટીના પંકજભાઈ રાણસરિયાને લોકો-વેપારી તરફથી અભૂતપૂર્વક આવકાર


SHARE











મોરબી-માળીયા આમ આદમી પાર્ટીના પંકજભાઈ રાણસરિયાને લોકો-વેપારી તરફથી અભૂતપૂર્વક આવકાર

મોરબી જીલ્લામાં છેલ્લા ઘણા સમયથી લોકોને પ્રાથમિક સુવિધાઓ તેમજ વ્યાપારિક એકમોને પ્રાધાન્ય આપવામાં અને લોકઉપયોગી સવલતો આપવામાં ભાજપ અને કોંગ્રેસ બંને જ્યારે નિષ્ફળ ગયાં છે ત્યારે લોકોમાં હાલ આશાનું કિરણ એક માત્ર આમ આદમી પાર્ટીનાના કાર્યો છે માટે તેને ઠેરઠેર આવકાર મળી રહ્યો છે મોરબીના એકસમયે અપક્ષમાં ઉભા રહીને કદાવર નેતાઓને હંફાવી દેનાર યુવા ઉદ્યોગપતિ પંકજભાઈ રાણસરિયા હાલમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા છે અને ગ્રામ્ય વિસ્તારનો પ્રવાસ કરી રહ્યા છે ત્યારે રંગપર, બેલા, અમરેલી, ધરમપુર, ટીબડી, તરાવીયા સનાળા તેમજ ચાંચાવદરડા સહિતના ગામોમાંથી ૫૦૦થી વધુ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે અને આગામી સમયમાં મોરબી માળિયાના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં વધુને વધુ જનસમર્થન મળે તે માટે પ્રવાસ ચાલુ જ છે હાલમાં ગામડાઓમાં એક જ અવાજ સાંભળવા મળે છે “પંકજભાઈ તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ” ત્યારે મોરબી માળીયાને આ ચૂંટણીમાં મજબૂત વિકલ્પ મળે તેમાં શંકાને કોઈ સ્થાન નથી આ જનસમર્થન યાત્રામાં રાજુભાઈ, અશોકભાઈ, પંકજભાઈ, જેનિથભાઈ, જગદીશભાઈ, ગૌરવભાઈ અલ્પાબેન તેમજ હસીબેન સાહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા આવી જ રીતે મોરબીના પરાબજાર સહિતના વેપારી વિસ્તારમાં જનસંપર્ક કર્યો હતો ત્યારે પણ તેને અદભૂત આવકાર મળ્યો હતો અને ખાસ કરીને વેપારીઑ ભાજપ કે કોંગ્રેસના નેતા આવે તો એને કરેલા કામો વિશે પ્રશ્નો કરી જાકારો આપવો છે તેવું પંકજભાઈએ જણાવ્યુ છે






Latest News