મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને કચ્છના સાંસદ વિનોદભાઈ ની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી મોરબીના ન્યુ ચંદ્રનગરમાં શ્રીમદ્ સપ્તાહમાં શિવજી વિવાહનો પ્રસંગ ઉજવાયો વાંકાનેરના ઓળ ગામના હળદર ધાર વિસ્તારમાં ખનીજ માફિયા ઉપર પોલીસે-ખાણ ખનીજની ટિમ ત્રાટકી: 4.10 કરોડનો મુદામાલ કબ્જે
Breaking news
Morbi Today

મોરબી-માળીયા આમ આદમી પાર્ટીના પંકજભાઈ રાણસરિયાને લોકો-વેપારી તરફથી અભૂતપૂર્વક આવકાર


SHARE











મોરબી-માળીયા આમ આદમી પાર્ટીના પંકજભાઈ રાણસરિયાને લોકો-વેપારી તરફથી અભૂતપૂર્વક આવકાર

મોરબી જીલ્લામાં છેલ્લા ઘણા સમયથી લોકોને પ્રાથમિક સુવિધાઓ તેમજ વ્યાપારિક એકમોને પ્રાધાન્ય આપવામાં અને લોકઉપયોગી સવલતો આપવામાં ભાજપ અને કોંગ્રેસ બંને જ્યારે નિષ્ફળ ગયાં છે ત્યારે લોકોમાં હાલ આશાનું કિરણ એક માત્ર આમ આદમી પાર્ટીનાના કાર્યો છે માટે તેને ઠેરઠેર આવકાર મળી રહ્યો છે મોરબીના એકસમયે અપક્ષમાં ઉભા રહીને કદાવર નેતાઓને હંફાવી દેનાર યુવા ઉદ્યોગપતિ પંકજભાઈ રાણસરિયા હાલમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા છે અને ગ્રામ્ય વિસ્તારનો પ્રવાસ કરી રહ્યા છે ત્યારે રંગપર, બેલા, અમરેલી, ધરમપુર, ટીબડી, તરાવીયા સનાળા તેમજ ચાંચાવદરડા સહિતના ગામોમાંથી ૫૦૦થી વધુ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે અને આગામી સમયમાં મોરબી માળિયાના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં વધુને વધુ જનસમર્થન મળે તે માટે પ્રવાસ ચાલુ જ છે હાલમાં ગામડાઓમાં એક જ અવાજ સાંભળવા મળે છે “પંકજભાઈ તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ” ત્યારે મોરબી માળીયાને આ ચૂંટણીમાં મજબૂત વિકલ્પ મળે તેમાં શંકાને કોઈ સ્થાન નથી આ જનસમર્થન યાત્રામાં રાજુભાઈ, અશોકભાઈ, પંકજભાઈ, જેનિથભાઈ, જગદીશભાઈ, ગૌરવભાઈ અલ્પાબેન તેમજ હસીબેન સાહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા આવી જ રીતે મોરબીના પરાબજાર સહિતના વેપારી વિસ્તારમાં જનસંપર્ક કર્યો હતો ત્યારે પણ તેને અદભૂત આવકાર મળ્યો હતો અને ખાસ કરીને વેપારીઑ ભાજપ કે કોંગ્રેસના નેતા આવે તો એને કરેલા કામો વિશે પ્રશ્નો કરી જાકારો આપવો છે તેવું પંકજભાઈએ જણાવ્યુ છે






Latest News