મોરબી મનપા દ્વારા ડોગ સેલ્ટર બનાવવાની કામગીરી ચાલુ, વેક્સિનેશન પણ શરૂ કરાશે મોરબીના સરદાર રોડ, શનાળા રોડ સહિતના વિસ્તારોમાંથી ગેરકાયદે દબાણો દુર કરાયા મોરબી મહાનગરપાલિકા આશ્રયગૃહ ખાતે આશ્રીતો માટે ઈ-નિર્માણ યોજના કેમ્પ યોજાયો મોરબીના પંચાસર રોડે 300 મકાનનું ડિમોલેશન કરતાં પહેલા સ્થાનિકોને વૈકલ્પિક વ્યવસ્થા આપવાની માંગ: કમિશનરને આવેદન પાઠવ્યું હળવદ તાલુકામાં સગીરા સાથે દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની સખ્ત કેદની સજા, 25000 નો દંડ મોરબીની એલ.ઈ.કોલેજ (ડિપ્લોમા) ખાતે ૧૪ અને ૨૧ મે ના રોજ  કારકીર્દી માર્ગદર્શન સેમિનાર યોજાશે મોરબી : બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદી કરવા માર્ગદર્શિકા જાહેર કરાઈ આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્વારા ઉનાળા વેકેશન સ્પેશ્યલ રજામાં મજા સમર વેકેશન સ્પેશ્યલ વર્કશોપ
Breaking news
Morbi Today

વાંકાનેરનાં નિલકંઠ મહાદેવ ખાતે શ્રાવણ માસ નિમિત્તે " ભસ્મ આરતી " યોજાઈ


SHARE













સોશ્યલ ડિસ્ટન્સ સાથે ભાવિકોએ અલૌકિક ભસ્મ આરતીનો લીધો દર્શનલાભ 

(કેતન ભટ્ટી દ્વારા) વાંકાનેર : શહેર મધ્યે ચાવડી શેરી ખાતે આવેલ નિલકંઠ મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસ નિમિત્તે ગઈ કાલે સોમવારે ભસ્મ આરતી અને દીપ માળાનું આયોજન કરવામાં આવતાં ભાવિકોએ સોશ્યલ ડિસ્ટન્સ સાથે દર્શન લાભ લીધો હતો.

વર્ષો જુના નિલકંઠ મહાદેવ ખાતે શ્રાવણ માસની ભાવભેર ઉજવણી કરવામાં આવી રહી છે, શ્રાવણ માસનાં દરેક સોમવાર દરમ્યાન વિવિધ શણગાર સહિતનાં આયોજન કરવામાં આવે છે, ગઈકાલે સોમવારે દીપમાળા અને ભસ્મ આરતી યોજવામાં આવતાં આ અલૌકિક દર્શનનો ભાવિકો એ સોશ્યલ ડિસ્ટન્સ સાથે લાભ લીધો હતો,  આયોજન સફળ બનાવવા તથા નિલકંઠ મહાદેવ મંદિરનાં સતત વિકાસ માટે આ વિસ્તારનાં લતાવાસીઓ અથાગ જહેમત ઉઠાવી રહ્યા છે.






Latest News