વાંકાનેરના માટેલ રોડે કારખાનામાં અને મોરબીના રાજપર ગામે ઇલેક્ટ્રીક શૉટ લાગતાં એક-એક યુવાનનું મોત મોરબીના સનાળા ગામે જાહેરમાં જુગાર રમતા 1 મહિલા સહિત 6 વ્યક્તિ 51,600 ની રોકડ સાથે પકડાયા વાંકાનેરના સરતાનપર રોડે બંધ પડેલા ટ્રકને રીપેર કરતાં સમયે માથા ઉપર જોઇન્ટ પડતાં ઇજા પામેલા યુવાનનું મોત સરકાર કયારે જાગશે?: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આમરણાંત ઉપવાસ આંદોલનમાં બે મહિલા ઉપવાસની તબિયત લથડી ગાંધીનગર ખાતે સરકાર સાથે ચર્ચા કરવા જવાનો મોરબીના જેતપર ગામના ખેડૂતોનો ઇનકાર: યોગ્ય વળતર માટે 6 સ્પષ્ટ માંગણી ખેડૂતોએ મોકલવી દીધી મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત મોરબી એસ.ટી. ડેપોના ૧૪૫થી વધુ અધિકારી-કર્મચારીઓનું આરોગ્ય સ્ક્રીનીંગ કરાયું સરકારની વિદેશ અભ્યાસ લોન યોજના થકી મોરબીના હર્ષ બોસીયાનું MBBS કરવાનું સ્વપ્ન થયું સાકાર
Breaking news
Morbi Today

મોરબી સિવિલ હોસ્પિટલમાં બાળકોના ડોક્ટરની તાત્કાલિક વ્યવસ્થા કરવાની માંગ


SHARE











મોરબી સિવિલ હોસ્પિટલમાં બાળકોના ડોક્ટરની તાત્કાલિક વ્યવસ્થા કરવાની માંગ

મોરબી સિવિલ હોસ્પિટલ જીલ્લા કક્ષાની હોસ્પિટલા છે અને ત્યાં જિલ્લાના જુદાજુદા તાલુકામાથી બાળકોની સારવાર માટે લોકો આવતા હોય છે ત્યારે આ હોસ્પીટલમાં બાળકોના ડોકટરો રજા ઉપર હોવાથી બાળકોને લઈને આવતા પરિવારજનો સારવાર માટે હેરાન પરેશાન થાય છે તે અંગેની રાજ્યના મુખ્ય મંત્રી, આરોગ્ય મંત્રી અને કલેકટરને સામાજિક કાર્યકરો દ્વારા લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે

મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઇ દવેજીગ્નેશભાઇ પંડયાજગદીશભાઇ બાંભણીયાજનક રાજાઅશોક ખરચરીયાએ મુખ્ય મંત્રીને જે રજુઆત કરેલ છે તેમાં જણાવ્યુ છે કેમોરબી જીલ્લામાં કક્ષાની સિવિલ હોસ્પીટલ મોરબીમાં છે ત્યાં બાળકોના કેશ બહુ વધારો થયેલ છે તથા બાળકોમાં શરદી-ઉધરસના કેશો વધુ હોય છે ડબલ્યુ.એચ.ઓ.ના અહેવાલ મુજબ કોરોનાની ત્રીજી સંભવિત લહેર આવવાની હોય અને અત્યારે તેની શરૂઆત થઇ ગયેલ છે તેવી સ્થિતિ ઉભી થાય ત્યારે જ સિવીલ હોસ્પિટલના ડોકટરો કે જે બાળકોના ડોકટરો છે તે લાંબી રજા ઉપર ગયેલા છે જેથી બીમાર બાળકોને સરાવાર માટે લઈને આવે છે જો કે, તેઓને રાજકોટ સારવાર માટે લઈ જવા પડે છે

મોરબી સિવિલમાં માળિયાહળવદવાંકાનેરટંકારા તથા મોરબીના ગામડામાંથી બાળકોની સારવાર માટે લોકો આવે છે ત્યારે તેના નિદાન તાત્કાલીક કરવામાં આવતા નથી અને આવા દર્દીઓને રાજકોટ મોકલવામાં આવે છે જેથી ધણી હાલાકી અને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તથા ગરીબ પરિવારોને આર્થિક ભારણ પણ વધે છે અને ઇમરજન્સી બાળકોના કેસ આવે ત્યારે બાળકોના ડોકટરો હોતા જ નથી જેથી કરીને મોરબી સિવિલમાં બાળકોના ડોક્ટરની તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવે તે જરૂરી છે આ અંગે મોરબી-માળિયા મત વિસ્તારના ધારાસભ્ય બ્રિજેશ મેરજા પણ રસ લઈને મોરબી સિવીલ હોસ્પિટલમાં દર્દીઓને સારી સારવાર મળે તેના માટે નક્કર કામ કરે તેવી માંગ કરવામાં આવી છે






Latest News