મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો
Breaking news
Morbi Today

મોરબીમાં યોજાયેલ તિરંગા યાત્રાનું રાજ્યના મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ કરાવ્યુ પ્રસ્થાન


SHARE











મોરબીમાં યોજાયેલ તિરંગા યાત્રાનું રાજ્યના મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ કરાવ્યુ પ્રસ્થાન

દેશવાસીઓમાં રાષ્ટ્રભાવનાને ઉજાગર કરવા માટે થઈને ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા હર ઘર તિરંગા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે અને જેને સાર્થક કરવા માટે થઈને હાલમાં સંગઠન તેમજ સરકાર અને અન્ય જુદી જુદી સંસ્થાઓ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે ત્યારે જો મોરબીની વાત કરીએ તો મોરબી શહેરમાં આજે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતેથી મોરબી માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને રાજ્યના પંચાયત વિભાગના મંત્રી બ્રિજેશભાઈ મેરજાની હાજરીમાં તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું અને ત્યારે પ્રેમસ્વામી, ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ જયંતીભાઈ કવાડિયા, મોરબી માળિયા વિધાનસભા બેઠકના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, મોરબી શહેર ભાજપના પ્રમુખ લાખાભાઈ જારીયા, મોરબી તાલુકા ભાજપના પ્રમુખ અરવિંદભાઈ વાસડિયા, મોરબી જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના અધ્યક્ષ જયંતીભાઈ પડસુંબિયા, આરોગ્ય સમિતિના ચેરમેન હીરાભાઈ ટમારીયા, ચંદુભાઈ હુંબલ, રુચીરભાઈ કારીયા, મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના માજી પ્રમુખ મણીભાઈ સરડવા તેમજ સ્થાનિક સ્વરાજની સંસ્થામાં ચૂંટાયેલા પ્રતિનિધિઓએ સહિતના ભાજપના હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકરો તેમજ મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ જુદી જુદી શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં જોડાયા હતા અને મોરબી શહેરના સનાળા રોડ ઉપર અને રવાપર રોડ ઉપરથી જ્યારે આ તિરંગા યાત્રા પસાર થઈ ત્યારે વિદ્યાર્થીઓ સહિતના લોકો દ્વારા ભારત માતા કી જય અને વંદે માતરમ ના નારા લગાવવામાં આવતા દેશભક્તિનો માહોલ મોરબીમાં ઉભો થયો હતો






Latest News