મોરબીના અજય લોરીયાની ક્રાઈમ કુંડળી સાથે સિરામિક ઉદ્યોગકારો-પાટીદાર સમાજના આગેવાનોએ એસપીને કરી રજૂઆત: ભોગ બનેલા લોકોને ફરિયાદ કરવા આહ્વાન મોરબી જિલ્લામાં ત્રણ તાલુકા પંચાયત, ત્રણેય તાલુકાની જિલ્લા પંચાયતની બેઠક અને બે પાલિકાની ચૂંટણી લડવા માટે દાવેદારોનો રાફડો ફાટયો મોરબીના લૂંટાવદર ગામે રહેણાંક મકાનમાં જુગાર રમતા છ પકડાયા મોરબીમાં લગ્નના બહાને કરવામાં આવેલ વિશ્વાસધાત-છેતરપીડીના ગુનામાં પકડાયેલ બે આરોપી જામીન મુક્ત મોરબીમાં સીરામીક ઉદ્યોગપતિ સહિત બે વ્યક્તિ ઉપર જીવલેણ હુમલો કરવાના ગુનામાં પકડાયેલ અજય લોરીયા જેલ હવાલે મોરબીમાં ફોરવ્હીલ ગાડીના ટાયરમાંથી હવા કાઢી નાખવા બાબતે થયેલ ઝઘડાનો ખાર રાખીને મહિલાને ત્રણ મહિલા સહિત 6 લોકોએ માર માર્યો મોરબીના રંગપર ગામ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે હડફેટે માથા-મોઢામાં ઇજા પામેલા યુવાનનું મોત વાંકાનેરના જોધપર પાસે જેસીબીના ચાલકે રિક્ષાને ટક્કર મારતા સર્જાયેલ અકસ્માતમાં એક તરૂણીનું મોત: 4 ને ઇજા
Breaking news
Morbi Today

મોરબીમાં યોજાયેલ તિરંગા યાત્રાનું રાજ્યના મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ કરાવ્યુ પ્રસ્થાન


SHARE











મોરબીમાં યોજાયેલ તિરંગા યાત્રાનું રાજ્યના મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ કરાવ્યુ પ્રસ્થાન

દેશવાસીઓમાં રાષ્ટ્રભાવનાને ઉજાગર કરવા માટે થઈને ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા હર ઘર તિરંગા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે અને જેને સાર્થક કરવા માટે થઈને હાલમાં સંગઠન તેમજ સરકાર અને અન્ય જુદી જુદી સંસ્થાઓ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે ત્યારે જો મોરબીની વાત કરીએ તો મોરબી શહેરમાં આજે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતેથી મોરબી માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને રાજ્યના પંચાયત વિભાગના મંત્રી બ્રિજેશભાઈ મેરજાની હાજરીમાં તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું અને ત્યારે પ્રેમસ્વામી, ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ જયંતીભાઈ કવાડિયા, મોરબી માળિયા વિધાનસભા બેઠકના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, મોરબી શહેર ભાજપના પ્રમુખ લાખાભાઈ જારીયા, મોરબી તાલુકા ભાજપના પ્રમુખ અરવિંદભાઈ વાસડિયા, મોરબી જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના અધ્યક્ષ જયંતીભાઈ પડસુંબિયા, આરોગ્ય સમિતિના ચેરમેન હીરાભાઈ ટમારીયા, ચંદુભાઈ હુંબલ, રુચીરભાઈ કારીયા, મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના માજી પ્રમુખ મણીભાઈ સરડવા તેમજ સ્થાનિક સ્વરાજની સંસ્થામાં ચૂંટાયેલા પ્રતિનિધિઓએ સહિતના ભાજપના હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકરો તેમજ મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ જુદી જુદી શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં જોડાયા હતા અને મોરબી શહેરના સનાળા રોડ ઉપર અને રવાપર રોડ ઉપરથી જ્યારે આ તિરંગા યાત્રા પસાર થઈ ત્યારે વિદ્યાર્થીઓ સહિતના લોકો દ્વારા ભારત માતા કી જય અને વંદે માતરમ ના નારા લગાવવામાં આવતા દેશભક્તિનો માહોલ મોરબીમાં ઉભો થયો હતો






Latest News