મોરબીમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ભવ્યાતી ભવ્ય ઉજવણી વાંકાનેર બાઉન્ડ્રી પાસે બાવળની જાળીમાં રૂપિયા માટે મિત્રની હત્યા કરનારા આરોપીને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા મોરબીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિના લીધે જિલ્લા કોંગ્રેસના મહામંત્રીને હોદા ઉપરથી સસ્પેન્ડ કરતાં જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ સામે સોશ્યલ મીડિયામાં વોર શરૂ ! તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં આમ આદમી પાર્ટી દ્રારા યોજાતા લોકડાયરામાં લોકોનો જમાવડો, ભાજપ-કોંગ્રેસ એલર્ટ..?!


SHARE











મોરબી જીલ્લામાં આમ આદમી પાર્ટી દ્રારા યોજાતા લોકડાયરામાં લોકોનો જમાવડો, ભાજપ-કોંગ્રેસ એલર્ટ..?!

માળીયા તાલુકાના નાની બરાર ગામે આમ આદમી પાર્ટી દ્વારા ડાયરોનું આયોજન કરવામાં આવ્યુ હતું. જિલ્લા પ્રમુખ વસંતભાઈ ગોરીયાની આગેવાનીમાં ડાયરો અને જનસંવાદ કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં ઘણા યુવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.આ તકે મોરબી માળીયા વિધાનસભા સંગઠન મંત્રી હીરાભાઈ કાનગડ, વનરાજસિંહ વાઘેલા, ચેતન લોરીયા, જગદીશ ખીંટ, પ્રફુલભાઈ હોથી, કમલેશભાઈ પટેલ, હિતેશભાઈ ભટ્ટ, વિપુલભાઇ રબારી, હિતેશ વરમોર, હરિભાઈ કાનગઢ, અરવિંદભાઈ ગઢવી સહિતના હોદેદારો ટીમ સાથે મોટી સંખ્યામાં તેમજ ગામ લોકો ઉપસ્થિત રહ્યા હતા.

જે રીતે દિલ્હીમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાજ ચલાવી રહ્યા છે અને તેને લઈને આમ આદમી (લોકો) ના ખર્ચમાં જે રીતે કાપ આવી રહ્યો છે (બચત થઇ રહી છે.) એટલે કે શિક્ષણ, આરોગ્ય અને વીજબીલ સહિતની બાબતોમાં જે રીતે આમ આદમી પાર્ટી દ્વારા લોકોને 'આર્થિક રાહત' આપવામાં આવેલ છે તેને લઈને દિલ્લી બાદ બુદ્ધિશાળી ગણાતા રાજ્યો પૈકીના એક એવા પંજાબમાં પણ સત્તા પરિવર્તન થયું છે અને બાદમાં આજે જ્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો પગપેસારો થઈ રહ્યો છે.રાજકોટ-જામનગર સહિતના વિસ્તારોમાં કેજરીવાલ દ્વારા સભાઓ યોજવામાં આવી રહી છે અને હાલ મોરબીમાં પણ જુદા જુદા વિસ્તારમાં લોક ડાયરાના આયોજન થઈ રહ્યા છે ત્યારે મોટી સંખ્યામાં યુવાનો અને આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ બને ઊંઘતા ઝડપાય તો નવાઈ નહીં.

જીલ્લા મહામંત્રીની પુત્રી ના જન્મદિવસની પ્રેરણાદાયક ઉજવણી

મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના મહામંત્રી ચેતનભાઈ લોરીયાની પુત્રી ચી.કૈરવીના જન્મદિવસ પર કેક તથા ચોકલેટ અને પાર્ટીના ખોટા ખર્ચ કર્યા વગર અને જન્મદિવસ ની સાચી અને પ્રેરણાદાયક ઉજવણી માટે ચેતનભાઈ લોરીયા તથા તેમના પરિવાર દ્વારા એક અલગ રીતે જન્મદિવસની ઉજવણી કરી જેમાં મોરબી ની આંબાવાડી સરકારી સ્કૂલ તથા મોરબી અનાથ આશ્રમમાં વિધ્યાર્થીઓને તથા આશ્રમના બાળકોને મધ્યાહન ભોજન કરાવી જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી જનતાને એક અલગ મેસેજ આપ્યો છે.






Latest News