વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો મોરબી આઇટીઆઇની મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ વિશેષ મુલાકાત લીધી મોરબી જિલ્લામાં આગામી રવિ, સોમ અને મંગળવારે રાષ્ટ્રીય પોલિયો ઝુંબેશ અંતર્ગત ૧.૨૧ લાખથી વધુ બાળકો પીવડાવાશે પોલિયોના ટીપાં મોરબીમાં મહિલાઓને આત્મનિર્ભર બનાવવા પાંચ દિવસીય મહિલા વૃત્તીકા તાલીમ યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી મહિલા કોલેજની વિદ્યાર્થીનીઓ દ્વારા રેલી યોજાઇ: માણેકવાડાની શાળામાં માતાની સ્મૃતિમાં રાષ્ટ્રધ્વજનું વિતરણ કરાયું 


SHARE











મોરબી મહિલા કોલેજની વિદ્યાર્થીનીઓ દ્વારા યોજાઈ જાગૃતિ અભિયાન રેલી

મોરબીની જે.એ. પટેલ મહિલા કોલેજની વાણિજ્ય શાખાની તમામ વિદ્યાર્થીનીઓ દ્વારા આજે તિરંગા રેલી યોજવામાં આવી હતી. જેમાં ૪૦૦ જેટલી વિદ્યાર્થીનીઓ જોડાઈ હતી આ રેલી ચિત્રકૂટ, ચંદ્રેશ, પુનિત, સરદારનગર, હાઉસિંગ બોર્ડ, શનાળા રોડ, નવા બસ સ્ટેશન, સરદાર બાગ વગેરે સ્થળોએ આઝાદી કા અમૃત મહોત્સવ નિમિતે જાગૃતિ રેલીઓ યોજવામાં આવી હતી. જેમાં એમ.વી. દલસાણીયા અને પ્રિન્સિપાલ ડો. પી.કે.પટેલ પણ જોડાયા હતા.

મોરબીના માણેકવાડા ગામની શાળામાં માતાની સ્મૃતિમાં રાષ્ટ્રધ્વજનું વિતરણ કરાયું 

માતા-પિતાને તેમના  પ્રિય હોય છે અને તેમના જીવતા તેમ તેમને  કોઈ પ્રકારની મુશ્કેલી ન થાય તેવા તમામ  પ્રયત્ન કરતા હોય છે. અને તેમના અવસાન બાદ સંતાનોને તેમની ખોટ કાયમી રહેતી હોય છે. પરિજનો દ્વારા પણ તેમની યાદ કાયમી સચવાય તેવા પ્રયત્ન કરવામાં આવે છે  ઘણા કુટુંબ એવા પણ છે જે તેમના સ્વજનોની યાદમાં પરોપકારના કામ પણ કરતા હોય છે  જોકે મોરબીમાં રહેતા સવિતાબેન ઓધવજીભાઈ દેત્રોજાનું ગત તા. ૨૬ જુલાઈના રોજ અવસાન થયું હતું અને માતાની યાદગીરી રૂપે તેમના પુત્ર તેમજ પરિવારના સભ્યો એવા  મનસુખભાઈ ઓધવજીભાઈ, રમેશભાઈ ઓધવજીભાઈ, જયંતિલાલભાઈ ઓધવજીભાઈ નરેશભાઈ કાંતિભાઈના હસ્તે મોરબીના માણેકવાડા ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોમાં રાષ્ટ્રપ્રેમની ભાવના જાગૃત કરવા ૧૦૦ જેટલા રાષ્ટ્ર ધ્વજનું વિતરણ કર્યું હતું આ તકે શાળાના આચાર્ય શિક્ષકો તેમજ વિધાર્થીઓએ દેત્રોજા પરિવારનો અભાર વ્યક્ત કર્યો હતો






Latest News