તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

મોરબી મહિલા કોલેજની વિદ્યાર્થીનીઓ દ્વારા રેલી યોજાઇ: માણેકવાડાની શાળામાં માતાની સ્મૃતિમાં રાષ્ટ્રધ્વજનું વિતરણ કરાયું 


SHARE











મોરબી મહિલા કોલેજની વિદ્યાર્થીનીઓ દ્વારા યોજાઈ જાગૃતિ અભિયાન રેલી

મોરબીની જે.એ. પટેલ મહિલા કોલેજની વાણિજ્ય શાખાની તમામ વિદ્યાર્થીનીઓ દ્વારા આજે તિરંગા રેલી યોજવામાં આવી હતી. જેમાં ૪૦૦ જેટલી વિદ્યાર્થીનીઓ જોડાઈ હતી આ રેલી ચિત્રકૂટ, ચંદ્રેશ, પુનિત, સરદારનગર, હાઉસિંગ બોર્ડ, શનાળા રોડ, નવા બસ સ્ટેશન, સરદાર બાગ વગેરે સ્થળોએ આઝાદી કા અમૃત મહોત્સવ નિમિતે જાગૃતિ રેલીઓ યોજવામાં આવી હતી. જેમાં એમ.વી. દલસાણીયા અને પ્રિન્સિપાલ ડો. પી.કે.પટેલ પણ જોડાયા હતા.

મોરબીના માણેકવાડા ગામની શાળામાં માતાની સ્મૃતિમાં રાષ્ટ્રધ્વજનું વિતરણ કરાયું 

માતા-પિતાને તેમના  પ્રિય હોય છે અને તેમના જીવતા તેમ તેમને  કોઈ પ્રકારની મુશ્કેલી ન થાય તેવા તમામ  પ્રયત્ન કરતા હોય છે. અને તેમના અવસાન બાદ સંતાનોને તેમની ખોટ કાયમી રહેતી હોય છે. પરિજનો દ્વારા પણ તેમની યાદ કાયમી સચવાય તેવા પ્રયત્ન કરવામાં આવે છે  ઘણા કુટુંબ એવા પણ છે જે તેમના સ્વજનોની યાદમાં પરોપકારના કામ પણ કરતા હોય છે  જોકે મોરબીમાં રહેતા સવિતાબેન ઓધવજીભાઈ દેત્રોજાનું ગત તા. ૨૬ જુલાઈના રોજ અવસાન થયું હતું અને માતાની યાદગીરી રૂપે તેમના પુત્ર તેમજ પરિવારના સભ્યો એવા  મનસુખભાઈ ઓધવજીભાઈ, રમેશભાઈ ઓધવજીભાઈ, જયંતિલાલભાઈ ઓધવજીભાઈ નરેશભાઈ કાંતિભાઈના હસ્તે મોરબીના માણેકવાડા ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોમાં રાષ્ટ્રપ્રેમની ભાવના જાગૃત કરવા ૧૦૦ જેટલા રાષ્ટ્ર ધ્વજનું વિતરણ કર્યું હતું આ તકે શાળાના આચાર્ય શિક્ષકો તેમજ વિધાર્થીઓએ દેત્રોજા પરિવારનો અભાર વ્યક્ત કર્યો હતો






Latest News