વાંકાનેરમાં મંદિરના નવનિર્માણના નામે જુદાજુદા બે લક્કી ડ્રોની ટિકિટોનું વેચાણ કરતો એજન્ટ પકડાયો: 13 સામે ગુનો નોંધાયો મોરબીના નીચી માંડલ પાસે રોડ ક્રોસ કરતાં યુવાનને ડમ્પર ચાલકે હડફેટે લેતા પગમાં 3 ફ્રેકચર: વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા ટંકારાના સાવડી ગામ પાસે બાઇક ચાલકે સાયકલને ટક્કર મારતા ઇજા પામેલા આધેડનું સારવારમાં મોત વાંકાનેર-માળીયા તાલુકા અને મોરબી શહેરમાં વિદેશી દારૂની 4 રેડ: દારૂની નાની મોટી 30 બોટલ કબ્જે માળીયા (મી)ના નવલખી પોર્ટ ખાતે કાકા સાથે રહેતા સગીરને બે દિવસ પછી રાજકોટ માતા પાસે જવાનું કહેતા ગળેફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીના સોખડા ગામે ઘરેથી નીકળી ગયેલ માનસિક બીમાર યુવાનનો ખેતરમાંથી કોહવાય ગયેલ હાલતમાં મૃતદેહ મળ્યો: વાંકનેરમાં વૃદ્ધનું બીમારી સબબ મોત મોરબીમાં અડાણે મુકેલા ઘરેણા બાબતે સામસામે મારામારી, સાત ઇજાગ્રસ્તો પૈકી બે રાજકોટ ખસેડાયા  હળવદના કાવડિયા ગામનો બનાવ: કામ ધંધો સરખો ન કરે ત્યાં સુધી પરત આવવાની રિસામણે બેઠેલ પત્નીએ ના પડતાં યુવાને અણધાર્યું પગલું ભર્યું
Breaking news
Morbi Today

માળીયા(મી)ના ખાખરેયા ગામે નદીમાં ન્હાવા જતાં પથ્થર વાગવાથી ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત


SHARE











માળીયા(મી)ના ખાખરેયા ગામે નદીમાં ન્હાવા જતાં પથ્થર વાગવાથી ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત

માળીયા તાલુકાના ખાખરેયા ગામે આવેલ નદીમાં ન્હાવા માટે પડેલ યુવાનને છાતી અને ગળાના ભાગે પથ્થર વાગવાથી તેને ગંભીર ઈજા થઈ હતી માટે તેને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો જોકે સારવાર કારગત ન નિવડતા યુવાનનું મોત થયું છે જેથી કરીને બનાવની માળિયા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરી કાર્યવાહી હાથ ધરેલ છે 

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે માળીયા તાલુકાના ખાખરેચી ગામે રહેતા સોંઢાભાઈ ચનાભાઇ પાટડીયા (ઉંમર વર્ષ ૨૨) પોતાના ગામની બાજુમાં આવેલ નદીમાં નાહવા માટે પડ્યા હતા અને ત્યારે નદીમાં પડતાની સાથે જ તેને છાતી અને ગળાના ભાગે નદીમાં રહેલ પથ્થર વાગતા તેને ગંભીર ઇજાઓ થઇ હતી માટે તેઓને પ્રથમ સારવાર માટે ખાખરેચી અને ત્યાંથી વધુ સારવાર માટે મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાર બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવેલ હતો જોકે યુવાનનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.જેથી કરીને આ બનાવની માળિયા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News