મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

અવળચંડાઈની હદ વટોળી !:વાંકાનેરમાં જન્માષ્ટમીના લોકમેળાની ફરીથી હરરજી કરવા આદેશ


SHARE











અવળચંડાઈની હદ વટોળી !:વાંકાનેરમાં જન્માષ્ટમીના લોકમેળાની ફરીથી હરરજી કરવા આદેશ

વાંકાનેર નગરપાલિકા વિસ્તારમાં દર વર્ષે સાતમ આઠમનો મેળો યોજાતો હોય છે જોકે, આગામી દિવસોમાં જન્માષ્ટમીના પર્વ ઉપર મેળો યોજાશે કે કેમ તેને લઈને અવઢવ છે કેમ કે, ગણેશ મહોત્સવ સમિતિ સહિત બે પાર્ટી દ્વારા મેળાના મેદાનની માંગણી કરવામાં આવી છે અને જેનો ભાવ ઊંચો છે તેને મેળો ખોટી રીતે આપવામાં આવે છે તેવી પરદેશી કમિશ્નરમાં અરજી કરવામાં આવેલ છે જેથી કરીને હવે મેળાના મેદાની હરરજી માટે ફરીથી પ્રક્રિયા કરવાનો આદેશ કરવામાં આવેલ છે

વાંકાનેર નગરપાલિકા વિસ્તારની અંદર દર વર્ષે ગણેશ મહોત્સવ સમિતિને વાંકાનેર પાલિકા દ્વારા નિયમ પ્રમાણે ચાર્જ વસૂલ કરીને મેળાનું મેદાન આપવામાં આવતું હોય છે અને ત્યાં મેળાનું આયોજન કરવામાં આવે છે જોકે આ વર્ષે ગણેશ મહોત્સવ સમિતિ વતી રાકેશભાઈ ઝાલા દ્વારા આ મેળાના મેદાન માટે થઈને અરજી કરવામાં આવી હતી તો સામાપક્ષેથી એનસીપીના પૂર્વ ઉમેદવાર અને મોરબી જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ અમુભાઈ ઠાકરાણી દ્વારા મેળાના મેદાન માટે અરજી કરવામાં આવી હતી અને અમુભાઈ ઠાકરાણીમેળાના મેદાન માટે ૨.૦૫ લાખની ઓફર કરી હતી જો કે, ગણેશ મહોત્સવ સમિતિ૨.૫૫ લાખની ઓફર કરી હતી જેથી તેને મેદાન મળે તેવી શક્યતા હતી જો કે, અમુભાઈ દ્વારા મેળાના મેદાનની ખોટી રીતે ફાળવણી કરવામાં આવી રહી છે તેવી પ્રદેશ્ક કમિશ્નરની કચેરીમાં અરજી કરવામાં આવી છે જેથી કરીને પ્રદેશિક કમિશ્નરે મેળાના મેદાન માટે ફરીથી હરરજી કરવાનો આદેશ કર્યો છે ત્યારે હવે કયારે હરરજી કરવામાં આવશે અને મેળાનું આયોજન કરવામાં આવશે કે કેમ તે સહિતના પ્રશ્નો ઊભા થયા છે 






Latest News