મોરબીના સીરામીક ઉદ્યોગમાં પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી બે કંપનીના ભાવમાં જમીન આસમાનનો તફાવત !, ઉદ્યોગકારોની મૂંઝવણમાં સતત વધારો: હાલમાં ઉદ્યોગકારો એમજીઓ કરાર ન કરે તેવા સંકેત મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો ભારે કરી: મોરબીમાં બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝાપટ મારીને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ મોરબીમાં બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 12 વર્ષના બાળકનું મોત મોરબીમાં વેપાર માટે યુવાને વ્યાજે લીધેલા 5 લાખ સામે 7.90 લાખ ચૂકવ્યા છતાં બે શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી, મારી નાખવાની ધમકી હળવદના માથક ગામે રહેતા યુવાને અગાઉ કરેલ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ફોન ઉપર ગાળો આપીને ઠામ પતાવી દેવાની ધમકી મોરબીમાં જુદી જુદી બે જગ્યાએથી દારૂની 17 બોટલ સાથે ત્રણ શખ્સો પકડાયા, ત્રણ ની શોધખોળ હળવદમાં ઘરે મોડા આવતા પતિ સાથે બોલાચાલી ઝઘડો થતાં પરિણીતાએ કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીની આંગડિયા પેઢીના ૩૦ લાખથી વધુની રોકડ ભરેલા થેલાની ઉઠાંતરી ?, ફરિયાદી શંકાના દાયરામાં


SHARE











મોરબીની આંગડિયા પેઢીના ૩૦ લાખથી વધુની રોકડ ભરેલા થેલાની ઉઠાંતરી ?, ફરિયાદી શંકાના દાયરામાં

મોરબીની આંગડિયા પેઢીના બે વ્યક્તિ જુદાજુદા ત્રણ થેલામાં રોકડ રકમ તેમજ સોના-ચાંદીના દાગીના ભરીને ભુજ તરફથી મોરબી આવી રહ્યા હતા. ત્યારે રસ્તામાં એસટી બસમાં તેઓનો રોકડ રકમ ભરેલ થેલો ઉપડી ગયો હોવાનું તેમને મોરબી આવીને જાણ થઈ હતી..! જેથી કરીને મોરબી જીલ્લામાં પોલીસ દ્વારા નાકાબંધી કરાવવામાં આવી હતી જોકે બનાવ મોરબી પંથકમાં બન્યો છે કે રસ્તામાં અન્ય કોઇ જગ્યાએ બન્યો છે..? તે અંગે હાલ તપાસ ચાલી રહી છે. જોકે ફરિયાદી એટલે કે આંગણીયા પેઢીના કર્મચારીએ જે પ્રકારે વર્ણન કર્યું છે તેને લઈને ખુદ ફરિયાદી (આંગડિયા પેઢીનો કર્મચારી) જ શંકાના દાયરામાં હોય મોરબી જીલ્લા પોલીસ દ્વારા આ અંગે ઘનિષ્ઠ તપાસ હાથ ધરવામાં આવી છે.

સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીની મહેન્દ્ર પ્રવીણ આંગડિયા પેઢીના બે કર્મચારી ભુજ તરફથી એસટી બસમાં બેસીને મોરબી આવી રહ્યા હતા ત્યારે તેઓ પાસે લગભગ ત્રણ થેલાઓ હતા.જેમાં જાણવા મળ્યા મુદદે એક થેલામાં આશરે ૩૦ થી ૩૫ લાખ રોકડા હતા. જ્યારે બીજા થેલામાં સોના-ચાંદીના દાગીના હતા. આમ કુલ ત્રણ થેલા લઈને આંગડિયા પેઢીના બે કર્મચારીઓ ભુજ તરફથી ભાવનગર ડિવિઝનની એસટી બસમાં બેસીને મોરબી તરફ આવી રહ્યા હતા. ત્યારે મોરબી પહોંચ્યા બાદ તેઓને જાણવા મળ્યું હતું કે તેઓનો ત્રણ થેલા પૈકીનો રોકડા રૂપિયા ૩૦ થી ૩૫ લાખ જેવી માતબાર રકમ ભરેલો થેલો ગુમ છે. તેથી તેઓએ પોલીસનો સંપર્ક કર્યો હતો. માટે પોલીસે તાત્કાલિક મોરબી જીલ્લામાં નાકાબંધી કરાવી હતી. જો કે બનાવ મોરબી પંથકમાં ક્યાંય બન્યો છે કે..? કે આગળ ક્યાંય બનાવ બન્યો છે..? તે હાલ તપાસનો વિષય છે.જોકે ફરિયાદીના વર્ણન ઉપરથી ફરિયાદી એટલે કે આંગડિયા પેઢીનો કર્મચારી જ શંકાસ્પદ જણાતો હોય તે દિશામાં પણ પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. હાલ જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીના માર્ગદર્શન હેઠળ મોરબી એલસીબી, એસઓજી અને મોરબી સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા આ અંગે આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.






Latest News