મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

વાંકાનેરના ભીમગુડામાં જુગારની રેડ પડતાં જુગારીઓમાં નાશભાગ : ચાર પકડાયા, ત્રણ ફરાર


SHARE











વાંકાનેરના ભીમગુડામાં જુગારની રેડ પડતાં જુગારીઓમાં નાશભાગ : ચાર પકડાયા, ત્રણ ફરાર


વાંકાનેર તાલુકાના ભીમગુડા ગામે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેથી કરીને પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે રોકડ ૧૧,૩૦૦, મોબાઇલ ફોન તથા એક બાઇક મળીને ૫૬,૮૦૦ ના મુદામાલ સાથે ચાર જુગારીને પોલીસે ઝડપી લીધા છે જો કે, ત્રણ જુગારી નાશી ગયા હોય તેને પકડવા માટે તજવીજ ચાલુ છે

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના મયુરધ્વજસિંહ જાડેજા તથા સંજયસિંહ જાડેજાને મળેલ ખાનગી હકીકત મળી હતી કે, વાંકાનેરના ભીમગુડા ગામે શંકર ભગવાનના મંદિર પાસે જાહેરમાં જુગાર રમે છે જેથી પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે જુગારીઓમાં નાશભાગ મચી ગઈ હતી અને પોલીસે સ્થળ ઉપરથી દશરથભાઇ તેજાભાઇ વિંજવાડીયા જાતે કોળી, ગોરધનભાઇ શામજીભાઇ વિંજવાડીયા જાતે કોળી, પ્રવિણભાઇ તેજાભાઇ વિંજવાડીયા જાતે કોળી અને ભુપતભાઇ તરશીભાઇ રાતોજા જાતે કોળીને ઝડપી લીધા હતા જો કે, પ્રવિણભાઇ રણછોડભાઇ કોળી, પરબત લખમણભાઇ કોળી અને અજય ભરતભાઇ કોળી રહે. બધા ભિમગુડા વાળા નાશી ગયા છે જેથી કરીને તેને પકડવા માટે તજવીજ ચાલુ છે હાલમાં પકડાયેલા જુગારીઓ પાસેથી પોલીસે રોકડ ૧૧,૩૦૦, મોબાઇલ ફોન તથા એક બાઇક મળીને ૫૬,૮૦૦ નો મુદામાલ કબજે કરેલ છે આ કામગીરી પીએસઆઈ આર.એ. જાડેજા તથા મયુરધ્વજસિંહ જાડેજા, જુવાનસિંહ ઝાલા, જશપાલસિંહ ઝાલા, ચમનભાઇ ચાવડા, હરીચંન્દ્રસિંહ ઝાલા, મુકેશભાઇ જીલરીયા, સંજયસિંહ જાડેજા, જયદીપસિંહ જાડેજા તથા અજયસિંહ ઝાલાએ કરી હતી.

વાહન અકસ્માતમાં ત્રણને ઇજા

મોરબીના સામાકાંઠે માળિયા ફાટક પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં અજાણ્યા કારચાલકે રીક્ષાને હડફેટે લેતા રીક્ષા પલ્ટી મારી ગઈ હતી ત્યારે મોરબીના સામાકાંઠે માળિયા ફાટક નજીક વસુંધરા હોટલની પાછળ આવેલ કાંતિનગર વિસ્તારમાં રહેતા ઝરીનાબેન સુદીકભાઇ નોવર (૫૫), નૂરજહાબેન ઉમરભાઈ કટિયા (૫૫) અને હાસમ મોહમ્મદ કટિયા (૫) નામના ત્રણ લોકોને નાનીમોટી ઈજાઓ થવાથી શહેરના સામાકાંઠે આવેલ ખાનગી હોસ્પિટલે સારવારમાં ખસેડાયા હતા.

યુવાન સારવારમાં

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા સરતાનપર રોડ ઉપરની એમ.ડી.ઓ. સીરામીક નામની ફેક્ટરીમાં રહીને ત્યાં મજૂરી કામ કરતા જેમલભાઈ રાયસંગભાઈ પિંડોર નામના ૧૭ વર્ષીય મજૂર યુવાનને ઝેરી સાપ કરડી જતા તેને સારવાર માટે અત્રેની સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો.






Latest News