હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના તળાવીયા સનાળા પાસે કારખાનામાંથી ગેસનો બાટલો ભરાવવા માટે ગયેલ યુવાન ગુમ


SHARE











મોરબીના તળાવીયા સનાળા પાસે કારખાનામાંથી ગેસનો બાટલો ભરાવવા માટે ગયેલ યુવાન ગુમ

મોરબી તાલુકાના તળાવીયા સનાળા ગામ પાસે આવેલ સીરામીક કારખાનામાં રહેતો યુવાન ગેસનો બાટલો ભરવા માટે નીકળ્યા બાદ ગુમ થઈ ગયો છે જેથી કરીને હાલમાં ગુમ થયેલા યુવાનના પત્ની દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેના પતિ ગુમ થયા હોવા અંગેની ગુમસુધા ફરિયાદ નોંધાતા પોલીસે તેની નોંધ કરીને યુવાનને શોધવા માટે કવાયત શરૂ કરેલ છે.

જાણવા મળતી વિગત પ્રમાણે કોટડા સાંગાણી તાલુકાના સાપર ગામના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના તળાવીયા સનાળા ગામ નજીક આવેલ સ્કોટલેન સેનેટરી નામના કારખાનાના લેબર કવાર્ટરમાં રહીને ત્યાં મજૂરી કામ કરતા મીનાક્ષીબેન કલ્પેશભાઈ માકડીયા (ઉંમર ૩૦) એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેમના પતિ ગુમ થયા હોવા અંગેની ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, તેના પતિ કલ્પેશભાઈ જેન્તીભાઈ માકડીયા (ઉંમર ૩૫) કારખાનેથી તા.૨૦ ના રોજ બપોરના ૧૨ વાગ્યાના અરસામાં રાંધણ ગેસનો બાટલો ભરાવવા માટે જાઉં છું તેવું કહીને નીકળ્યા હતા અને ત્યારબાદ તે ગુમ થઈ ગયેલ છે જેથી કરીને હાલમાં પરણીતાએ નોંધાવેલ ફરિયાદના આધારે પોલીસે ગુમસુધા ફરિયાદ નોંધીને યુવાનને શોધવા માટે થઈને તજવીજ શરૂ કરેલ છે.

વૃદ્ધ સારવારમાં

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ એવન્યુપાર્ક વિસ્તારમાં રહેતા ગોવિંદભાઈ પ્રભુભાઈ ઉઘરેજા નામના ૮૬ વર્ષીય વૃદ્ધ પગપાળા ઘરેથી મંદિરે જવા માટે નીકળ્યા હતા ત્યારે રસ્તામાં શનાળા રોડ ઉપર કોઇ બાઈક ચાલકે તેમને હડફેટ લેતા ઇજાઓ થવાથી તેમને અત્રે ડો.હેમલ પટેલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા હતા અને બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકના એચ.એમ.ચાવડા દ્વારા નોંધ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

વાહન અકસ્માતમાં ત્રણને ઇજા

મોરબીના નવલખી રોડ ઉપર ખાખરડા ગામ પાસે પેટ્રોલ પંપ નજીક વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં રોડ સાઈડમાં ઉભેલ રીક્ષાને ટ્રક ચાલકે હડફેટે લીધી હતી.જે બનાવમાં ઇજાઓ થવાથી અરવિંદભાઈ શાંતિલાલ શાહની (૫૦) રહે.સામાકાંઠે મોરબી-૨, કીડીબેન કાળાભાઈ ઠોરીયા (૬૦) અને સમીબેન પોપટભાઈ ઠોરીયા (૬૦) રહે.બંને માળિયા ફાટક પાસે મોરબી-૨ ને ઇજાઓ થઈ હતી જેથી ત્રણેયને સિવિલ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા હતા અને બનાવને પગલે જાણ થતા તાલુકા પોલીસ મથકના વિજયભાઈ ડાંગર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે.






Latest News