મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીના લાલપર પાસે બાઈકને હડફેટે લઇ યુવાનનું મોત નિપજાવનાર આઇસર ચાલકની ધરપકડ


SHARE











મોરબીના લાલપર પાસે બાઈકને હડફેટે લઇ યુવાનનું મોત નિપજાવનાર આઇસર ચાલકની ધરપકડ

મોરબીના લાલપર ગામ પાસે આઇસર ચાલકે બાઈકને હડફેટે લીધું હતું જેથી કરીને યુવાનને ઇજા થઈ હતી અને ઇજાગ્રસ્ત યુવાનને સારવારમાં લઈ જવામાં આવ્યો હતો જોકે, સારવાર કારગત ન નિવડતાં તે યુવાનો મોત નિપજ્યું હતું અને અકસ્માત મૃત્યુના આ બનાવમાં હાલમાં મૃતક યુવાનના પત્નીએ આઇસર ચાલકની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડી પાડેલ છે.

મોરબીના ત્રાજપર ખારી વિસ્તારમાં મેલડી માતાજીના મંદિર પાસે રહેતા રેશમાબેન ફારૂકભાઈ મોવર (ઉંમર ૨૫) એ બે દિવસ પહેલા આઇસર નંબર જીજે ૧૩ એડબલ્યુ ૫૬૬૬ ના ચાલકની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું હતુ કે તેઓના પતિ ફારૂકભાઈ ઉર્ફે કાળુભાઇ ઈસ્માઈલભાઈ મોવર પોતાનું બાઈક લઈને મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલ લાલપર ગામે શ્રીજી સિરામિક સામેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ઉપરોકત નંબરના આઇસર ચાલકે તેમના પતિના બાઈકને હડફેટે લીધું હતું જેથી કરીને તેઓના પતિ ફારૂકભાઇને માથા અને પેટના ભાગે ગંભીર ઇજાઑ થઈ હતી અને તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા જોકે સારવાર કારગત નહીં નિવડતા તેમનું મોત નીપજ્યું છે. હાલમાં મૃતક યુવાનના પત્નીએ નોંધાવેલ ફરીયાદ ઉપરથી તાલુકા પીએસઆઇ આઇ.એમ.અજમેરીએ આઇસર ચાલક બળદેવ કાળુભાઈ રાતડીયા જાતે ભરવાડ (૨૬) રહે.કડીયાણા પેટ્રોલપંપ પાસે તા.હળવદ જી.મોરબીની ઉપરોક્ત અકસ્માત બનાવવા ધરપકડ કરી હતી.

વાહન અકસ્માતમાં બે ને ઈજા

મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર ગામના બસ સ્ટેશન પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં બાઈક સ્લીપ થઈ ગઈ હતું.જે બનાવમાં ઇજાઓ થવાથી જયનિલ હિતેશ રામાનુજ (૨૧) રહે.રોટરીનગર સામાકાંઠે મોરબી-૨ તેમજ જયપાલસિંહ પરાક્રમસિંહ ઝાલા (૨૧) રહે.પીપળી તા.મોરબી વાળાઓને ઇજા થતા બંનેને સમર્પણ હોસ્પિટલે સારવાર માટે લઈ જવાયા હતા.

દવા પી જતા સારવારમાં

મોરબીના માળિયા હાઇવે ઉપર આવેલ ટીંબાવાડી નજીક રહેતો ચંદુભાઈ ભરતભાઈ તડવી નામનો ૨૨ વર્ષીય યુવાન વાડીએ દવા પી ગયો હતો જેથી તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો.જ્યારે મોરબીના વાવડી રોડ ઉપર રહેતા ઈલાબેન પ્રદીપભાઈ જોગીદાસ નામના ૫૩ વર્ષીય આધેડ મહિલા બાઇકમાં જતા હતા ત્યારે બાલા હનુમાન મંદિર નજીક તેઓનું બાઈક સ્લીપ થઈ જતા ઈજાઓ થવાથી ઇલાબેનને સારવાર માટે ખસેડાયા હતા.






Latest News